Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈના રાષ્ટ્રીય ઉદ્યાન પર તોળાઈ રહ્યો છે ખતરો , વિકાસ પ્રોજેક્ટ માટે જંગલ વિસ્તારની જમીનનો ઉપયોગ કરવા સરકારે આપી મંજૂરી..

Mumbai: મુંબઈમાં સમગ્ર તરફ વિકાસ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની જંગલની જમાન સતત આ વિકાસ પ્રોજેક્ટમાં કપાઈ રહી છે.

This national park in Mumbai is under threat... Govt's approval to use forest area land for development projects..

This national park in Mumbai is under threat... Govt's approval to use forest area land for development projects..

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈનું ફેમસ રાષ્ટ્રીય ઉદ્યાન ( National Park ) એટલે કે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ( SGNP ) જોખમમાં છે. નેશનલ પાર્કની આસપાસ મોટા પાયે વિકાસના પ્રોજેક્ટો ( Development projects ) ચાલી રહ્યા છે. આ પૈકીના એક પ્રોજેક્ટના કારણે પાર્કમાં બ્રિજ અને રોડ પહોળો કરવાની ( Road widening ) કામગીરી કરવામાં આવશે. આ કામ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ પર્યાવરણવાદીઓ આ કામ માટે વિરોધ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

કહેવાય છે કે મહાનગરપાલિકા ( BMC ) પહેલા આ પાર્કમાં એક પુલ અને રોડનો અમુક ભાગ પહોળો કરવા માંગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને શ્રી કૃષ્ણ નગર પુલના  ( Sri Krishna Nagar Bridge ) પુનઃનિર્માણ માટે SGNP જંગલની જમીનનો એક ભાગ વાળવાની દરખાસ્ત કરી હતી. બોરીવલી પૂર્વમાં ( Borivli East ) શ્રી કૃષ્ણ નગર, અભિનવ નગર અને શાંતિવનને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડતો આ 22 મીટર પહોળો બ્રિજ 2021માં આંશિક રીતે તૂટી પડ્યો હતો, હવે તેને પુનઃવિકાસ અને પહોળો કરવામાં આવશે. આ માટે એસજીએનપીના 7,836 ચોરસ ફૂટના પ્લોટનો આ કામ માટે ઉપયોગ કરવામાં આવશે. હવે આ કામનો પર્યાવરણવાદીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે મુંબઈ માટે જંગલો મહત્વપૂર્ણ છે. MMRDA વિકાસના નામે અહીં જંગલને નુકસાન પહોંચાડી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  JR NTR Ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં જવા ની વચ્ચે જુનિયર એનટીઆર ની સામે આવી આ અડચણ, શું આમંત્રણ મળવા છતાં અયોધ્યા નહીં જઈ શકે અભિનેતા?

  વિકાસ પરિયોજનાઓને કારણે જંગલની જમીન સતત ઘટી રહી છે..

પ્રાપ્ત માહિતી અનુસાર, વન સંરક્ષણ અધિનિયમ 1980ની જોગવાઈઓ હેઠળ, મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે આ પ્રોજેક્ટ માટે 8 ઓગસ્ટ, 2023ના રોજ જ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય પાસેથી સંબંધિત પરવાનગીઓ મળી ગઈ છે. દરમિયાન, એનજીઓ ‘વનશક્તિ’નું પ્રતિનિધિત્વ કરતા પર્યાવરણવિદે જણાવ્યું હતું કે વિકાસ પરિયોજનાઓને કારણે જંગલની જમીન સતત ઘટી રહી છે. તેમણે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલા અતિક્રમણ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પર્યાવરણવિદે વધુમાં કહ્યું હતું કે અધિકારીઓ રાષ્ટ્રીય ઉદ્યાનના મહત્વ પર પૂરતું ધ્યાન આપી રહ્યા નથી. તેમણે કહ્યું કે દર બે મહિને નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, જેના કારણે આપણા જંગલો ધીરે ધીરે નાશ પામી રહ્યા છે. આ નિર્ણાયક સમયમાં વન સંરક્ષણ પ્રત્યે વન મંત્રીની પ્રતિબદ્ધતાનો અભાવ સ્પષ્ટ છે અને વિભાગે સ્વીકારવું જોઈએ કે વન્યજીવ સંરક્ષણ હવે પ્રાથમિકતા નથી.

AntiDrugs Awareness Campaign મુંબઈના નોર્થ ઝોન૩ માં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન ૨૩ શાળાઓના ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
Bandra Gang MCOCA Arrests બાંદ્રામાં આતંક મચાવનાર કુખ્યાત ગેંગ સામે મકોકા હેઠળ ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ
Navi Mumbai Road Rage નવી મુંબઈના પામ બીચ રોડ પર ઓલા ડ્રાઇવર પર હુમલો કરી કારના બોનેટ પર ૨ કિલોમીટર સુધી ઘસડ્યો
Mumbai Digital Arrest Cyber Fraud મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે નિવૃત્ત અધિકારી સાથે ૫૧ લાખની સાયબર ઠગાઈ એકની ધરપકડ
Exit mobile version