Site icon News Continuous Bureau | Mumbai

ચોમાસા દરમિયાન લોકો ખુલ્લી ગટરમાં ન પડી જાય એટલે પાલિકાએ ઊંચક્યું આ પગલું; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ચોમાસામાં રસ્તે ચાલનારા રાહદારીઓ માટે ખુલ્લી ગટરો અને મેનહોલ જોખમી બની શકે છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના મેનહોલને લોખંડની જાળીઓથી ઢાંકી દીધી છે. એ માટે મુંબઈ પાલિકાએ કરોડો  રૂપિયાનો ખર્ચ કર્યો છે. મુંબઈમાં લગભગ 73,000 મેનહોલ છે.

વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અમુક વખતે રસ્તાઓ પર આવેલા મેનહોલ અજાણ્યા લોકો દ્વારા ખુલ્લા મૂકી દેવામાં આવતા હોય છે. જે રાહદારીઓ માટે જોખમી બની શકે છે. એથી પાલિકાએ આવા મેનહોલ પર લોખંડની જાળી બેસાડી દીધી છે. ભારે વરસાદમાં રસ્તામાં પાણી ભરાવાથી મેનહોલ નહીં દેખાવાના સંજોગોમાં એમાં કોઈ પડી ગયું તો પણ પાણીની સાથે તે તણાઈ જશે નહીં. 

મુંબઈ શહેરમાં 855, પશ્ચિમ ઉપનગરમાં 355 અને પૂર્વ ઉપનગરમાં 186 મેનહોલ પર પાલિકાએ અત્યાર સુધી લોખંડની જાળી બેસાડી દીધી છે.

પહેલા વરસાદે મુંબઈમાં તૂટી પડી ઇમારત, એકનું મોત; જાણો અહીં વધુ વિગત

અહીં ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2017માં અતિવૃષ્ટ દરમિયાન ગૉસ્ટ્રોસર્જન ડૉ. દીપક અમરાપૂરકરનું મેનહોલમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. એથી આવા ખુલ્લા મેનહોલના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ એના પર જાળી બેસાડવાનો નિર્ણય લીધો હતો.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version