Site icon

ખાળે ડૂચા અને દરવાજા મોકળા : મુંબઈવાસીઓ ઘરમાં કેદ અને રોજ ૭૦ હજાર પરપ્રાંતીઓ વગર ટેસ્ટ કરાવે મુંબઈમાં આવી રહ્યા છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ શહેરમાં ગત વીસ દિવસથી સખત લોકડાઉન ચાલુ છે. લોકો અપાર તકલીફોનો સામનો કરી રહ્યા છે. વેપારીઓના ધંધા બંધ છે. જેને કારણે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ થાળે પડે છે. મુંબઈવાસીઓની મહેનત રંગ લાવી રહી છે ત્યારે આ રંગમાં ભંગ પાડવા માટે બહારગામથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મુંબઈ તરફ આવી રહ્યા છે. રેલવે પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર મધ્ય રેલવે થી દૈનિક 40 હજાર જ્યારે કે પશ્ચિમ રેલવે થી દૈનિક ૨૦ હજાર લોકો બહારગામથી આવી રહ્યા છે. જે લોકો આવી રહ્યા છે તેઓના રેલવે સ્ટેશન પર ટેસ્ટ નથી કરવામાં આવતા. આ ઉપરાંત આ લોકો કઈ જગ્યાએ રોકાવાના છે અને ક્યાં ફરવાના છે તેની પણ કોઈ માહિતી સરકાર દ્વારા લેવામાં આવતી નથી.

હલકી પબ્લિસિટી ની ઝંખના કેળવતી મુંબઈ મહાનગરપાલિકાએ ડ્રાઇવ ઇન વેક્સિનેશન શરૂ કર્યું. પણ ભાઈ વેક્સિન ક્યાં છે??
આમ મુંબઈ વાસીઓ ઘરની ચાર દીવાલમાં કેદ છે ત્યારે સરકારની ઉદાસીનતા અને ઓછી કાર્યક્ષમતાને કારણે કોરોના ની ત્રીજી લહેર આવે તો નવાઈ નહીં.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version