Site icon

મુંબઇને ‘ભીખારી-મુક્ત’ બનાવવા સરકાર કટિબદ્ધ.. બીએમસી એ ભિખ માંગતા 29,000 લોકોની ઓળખ કરી.. હવે લેવાશે આ પગલાં.

 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Community

મુંબઈ

03 નવેમ્બર 2020 

કેન્દ્ર સરકાર દ્વારા ભિખ માંગતા લોકોના પુનર્વસન માટે દસ મહિના પહેલા એક રાષ્ટ્રીય અભિયાનની યોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત  મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શહેરમાં ભીખ માંગતા મહિલાઓ, બાળકો સહિતના આશરે 29,000 વ્યક્તિઓની ઓળખ કરી છે. મુંબઈના સહાયક મ્યુનિસિપલ કમિશનર (આયોજન)એ  જણાવ્યું હતું કે હોદ્દેદારોની એક બેઠક યોજી તેમાં એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનો ડ્રાફ્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે.

મુંબઇ શહેરને ત્રણ તબક્કામાં ભીખારી -મુક્ત બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રથમ તબક્કામાં એક સર્વેક્ષણ દ્વારા ઓળખ આપવામાં આવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ સર્વેક્ષણમાં રોગચાળા દરમિયાન ખોરાકના વિતરણ દરમિયાન ઓળખવામાં આવેલા લોકોની સૂચિ પણ શામેલ છે. જેમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો, કિશોરો અને તેમની શૈક્ષણિક લાયકાત જેવી સબકેટેગરીઝ શામેલ છે. તેના આધારે, અન્ય તબક્કાઓમાં તેમને આશ્રયસ્થાનો, કૌશલ્ય વિકાસ યોજનાઓ સાથે જોડવામાં આવશે.

આ દરખાસ્ત માર્ચ મહિનામાં નોડલ એજન્સીઓ દ્વારા તૈયાર કરવાની હતી. જેમાં "ઓળખ, પુનર્વસન, તબીબી સુવિધાઓની જોગવાઈ, સલાહ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ભીખ માંગવામાં વ્યસ્ત વ્યક્તિઓની અન્ય બાબતોને આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 60:40 ના આધારે સહ-ભંડોળ મળવાની અપેક્ષા છે. મહારાષ્ટ્રમાં બે શહેરો છે – મુંબઇ અને નાગપુર – દસ શહેરોમાં દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પટના, લખનઉ અને ઈન્દોરનો સમાવેશ થાય છે."

એક મનપા અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેક્ષણમાં એવા લોકોની ઓળખ કરવામાં આવી છે કે જેઓ લાચારીથી  ભીખ માંગતા હોય છે કારણ કે તેઓ આજીવિકાના અન્ય કોઈ સાધન શોધી શકતા નથી. ઉલ્લેખનીય છે કે 2011 મા  થયેલી વસ્તી ગણતરી પ્રમાણે, મુંબઈમાં 2275 ભિખારી હતા અને તે સમયે મુંબઈની કુલ વસ્તી 1.24 કરોડથી વધુ હતી.

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version