Site icon

મુંબઈને પ્રદૂષણ મુક્ત બનાવવા પાલિકાની વધુ એક પહેલ, શહેરમાં 16 જગ્યાએ નવા મિયાવાકી વન બનાવશે, અધધ લાખ વૃક્ષો વાવવામાં આવશે

મુંબઈમાં શહેરમાં હાલ હાથ થીજવતી ઠંડી પડી રહી છે. ઉષ્ણતામાનનો પારો વધુ નીચે જવાની સાથે શહેરમાં હવાની ગુણવત્તા બગડી છે. મુંબઈમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાને લીધે હવાની ગુણવત્તાનો નિર્દેશાંક ફરી 300ની પાર ગયો છે. દ

To make Mumbai pollution free new miyawaki forests will be plant at 16 places-one lakh trees will be planted

મુંબઈને પ્રદૂષણ મુક્ત બનાવવા પાલિકાની વધુ એક પહેલ, શહેરમાં 16 જગ્યાએ નવા મિયાવાકી વન બનાવશે, અધધ લાખ વૃક્ષો વાવવામાં આવશે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ( Mumbai  ) શહેરમાં હાલ હાથ થીજવતી ઠંડી પડી રહી છે. ઉષ્ણતામાનનો પારો વધુ નીચે જવાની સાથે શહેરમાં હવાની ગુણવત્તા બગડી છે. મુંબઈમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાને લીધે હવાની ગુણવત્તાનો નિર્દેશાંક ફરી 300ની પાર ગયો છે. દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને પ્રદૂષણ મુક્ત ( pollution free ) બનાવવા માટે અનેક પગલાં લઈ રહી છે. આ પગલા હેઠળ મુંબઈમાં 16 સ્થળોએ નવા મિયાવાકી વન બનાવવામાં આવી રહ્યા છે. આ જંગલોમાં લગભગ એક લાખ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. BMC ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 50,000 રોપા વાવવામાં આવ્યા છે, માર્ચ સુધીમાં એક લાખ ( miyawaki forests ) રોપા વાવવાનું ( plant  ) કામ પૂર્ણ થઈ જશે.

Join Our WhatsApp Community

આ જંગલોમાં ઉગતા મૂળ ઔષધીય છોડ

BMC ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈમાં સ્થળોએ ઉગતા મિયાવાકી વનમાં 47 વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં ફળ, ફૂલોના છોડ, ઔષધીય ગુણધર્મો ધરાવતા વૃક્ષોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે આમલી, પલાસ, કરંજ, બેહડા, રતનગંજ, સાગ, સીતાફળ, પારિજાત, લીમડો, વાંસ, જામફળ, હરડા, ખેર, મહુઆ, બદામ, કાજુ, અરીઠા, શીશમ, વિવિધ પ્રકારના બકુલ, અર્જુન, જેકફ્રૂટ, આમળા, જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો:  PM મોદીની મુંબઈ મુલાકાત પહેલા સુરક્ષા કડક, પોલીસે શહેરમાં આજ મધ્યરાત્રિથી આ વસ્તુઓ પર મુક્યો પ્રતિબંધ.

અત્યાર સુધીમાં ચાર લાખ રોપાઓ વાવવામાં આવ્યા

મુંબઈમાં મિયાવાકી ફોરેસ્ટ ઇનિશિયેટિવ ની શરૂઆત જાન્યુઆરી 2020થી કરવામાં આવી હતી. આમાંથી 64 મિયાવાકી ફોરેસ્ટ ઇનિશિયેટિવના પ્રથમ તબક્કામાં વિકસાવવામાં આવ્યા હતા. આ સ્થળોએ 4 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. હવે પ્રોજેક્ટનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વધુ 50 હજાર રોપાઓ વાવવામાં આવ્યા છે. માર્ચ સુધીમાં વધુ 50 હજાર રોપા વાવવામાં આવશે.

મિયાવાકી વનની વિશિષ્ટતા

મિયાવાકી વનમાં વૃક્ષો સામાન્ય જંગલો કરતાં વધુ ઝડપથી વધે છે. મિયાવાકી-શૈલીના જંગલો, જે સામાન્ય રીતે બે વર્ષમાં પરિપક્વ થાય છે, તે ગીચ હોય છે કારણ કે વૃક્ષો ઓછા અંતરે હોય છે. આ જંગલોની બીજી વિશેષતા એ છે કે તેમને શરૂઆતના બે કે ત્રણ વર્ષ સુધી નિયમિત જાળવણીની જરૂર પડે છે. તે પછી આ જંગલો કુદરતી રીતે વધતા રહે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ લગાવવામાં આવતા મિયાવાકી વન સ્વચ્છ હવા પ્રદાન કરવામાં ખૂબ જ સક્ષમ છે.

આ સમાચાર પણ વાંચો:   પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..

Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Bandra Terminus Drug Bust: બાંદ્રા ટર્મિનસ પર હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: અવધ એક્સપ્રેસમાંથી ₹૧૩.૮૩ કરોડનું ચરસ ઝડપાયું; પોલીસને જોઈ પેડલર ફરાર.
Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
Yogesh Verma BJP: માલાડમાં ‘ડીપ ક્લીનિંગ’ અભિયાનથી બદલાઈ તસવીર, અતિક્રમણ દૂર થયા બાદ શરૂ થઈ સઘન સફાઈ
Exit mobile version