Site icon

રાહતના સમાચાર : મુંબઈના આ વિસ્તારનો આજનો પાણી કાપ રદ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)માં કોલાબાથી પવઈ સુધીના વિસ્તારમાં ચાર દિવસનો પાણી કાપ(water cut0 મૂકવામાં આવ્યો હતો. જોકે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુદત પહેલાં જ સમારકામ(Restoration work) પૂર્ણ કરી દેતા આજનો ચાર કલાકનો પાંચ ટકા પાણીકાપ રદ કરી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

BMC પિસે પાંજરાપુર કૉમ્પ્લેકસમાં ૧૦૦ કિલો વોલ્ટ વિદ્યુત સબસ્ટેશનમાં મંગળવાર, ૨૪ મે, ૨૦૨૨થી શુક્રવાર, ૨૭ મે ૨૦૨૨ સુધ ચાર દિવસ માટે સમારકામ કરવામાં આવવાનું હતું. તેથી પાલિકાએ મુંબઈના કેટલાક વિસ્તારમાં ચાર દિવસ માટે પાંચ ટકા પાણીકાપ મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

આ સમારકામને કારણે એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-નોર્થ, એલ, એમ-ઈસ્ટ, એમ-વેસ્ટ, એન, એસ અને ટી વોર્ડમાં અમુક પરિસરમાં પાંચ ટકા પાણી કામ મુકવામાં આવ્યો હતો.

BMCના પાણી પુરવઠા ખાતાએ જોકે આ કામ ચાર દિવસને બદલે ફક્ત ત્રણ દિવસમાં પૂરું કરી નાંખ્યું હતું. તેથી આજનો પાણી કાપ રદ કરવામાં આવ્યો છે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version