Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર : મુંબઈના આ વિસ્તારનો આજનો પાણી કાપ રદ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)માં કોલાબાથી પવઈ સુધીના વિસ્તારમાં ચાર દિવસનો પાણી કાપ(water cut0 મૂકવામાં આવ્યો હતો. જોકે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુદત પહેલાં જ સમારકામ(Restoration work) પૂર્ણ કરી દેતા આજનો ચાર કલાકનો પાંચ ટકા પાણીકાપ રદ કરી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

BMC પિસે પાંજરાપુર કૉમ્પ્લેકસમાં ૧૦૦ કિલો વોલ્ટ વિદ્યુત સબસ્ટેશનમાં મંગળવાર, ૨૪ મે, ૨૦૨૨થી શુક્રવાર, ૨૭ મે ૨૦૨૨ સુધ ચાર દિવસ માટે સમારકામ કરવામાં આવવાનું હતું. તેથી પાલિકાએ મુંબઈના કેટલાક વિસ્તારમાં ચાર દિવસ માટે પાંચ ટકા પાણીકાપ મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

આ સમારકામને કારણે એ, બી, ઈ, એફ-દક્ષિણ, એફ-નોર્થ, એલ, એમ-ઈસ્ટ, એમ-વેસ્ટ, એન, એસ અને ટી વોર્ડમાં અમુક પરિસરમાં પાંચ ટકા પાણી કામ મુકવામાં આવ્યો હતો.

BMCના પાણી પુરવઠા ખાતાએ જોકે આ કામ ચાર દિવસને બદલે ફક્ત ત્રણ દિવસમાં પૂરું કરી નાંખ્યું હતું. તેથી આજનો પાણી કાપ રદ કરવામાં આવ્યો છે.

 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version