ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા રાણીબાગમાં ફરવાના સમય પર મર્યાદા મૂકવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાણીબાગમાં ફરવાનો સમય એક કલાક ઓછો કરવામાં આવ્યો છે.
એટલે કે હવે બપોરે 3 વાગ્યે જ પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી રાણીબાગ ખાલી કરાવવામાં આવશે.
એકંદર પરિસ્થિતિનો કયાસ કાઢીને આખરે પ્રશાસને પર્યટનના સમય પર મર્યાદા મૂકવાનો નિર્ણય લીધો છે.
