Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ઇ-ચલણની ચુકવણી હજુ બાકી છે? તો ધક્કા ખાવાની જરૂર નથી.. આ રીતે બાકી દંડની ચુકવી શકશો. જાણો વિગત.

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 ડિસેમ્બર 2020

આજથી મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસે રોકડમાં દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. દંડની રકમ ઈ.ચલણમાં ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. પરંતું, છેલ્લાં 4-5 વર્ષો દરમિયાન ન ચૂકવાયેલી રકમનો આંક એટલો મોટો હતો કે આરટીઓ અધિકારીઓ પણ ચોંકી ગયા. અભ્યાસ કરતા જાણવા મળ્યું કે દંડની રકમ લોકો તાત્કાલિક રોકડમાં ચુકવવા તૈયાર હોય છે. આથી જ હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ રોકડમાં દંડ વસુલશે.

 

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે 1.64 કરોડ લોકોના ₹ 602 કરોડના ચલણોની રકમ વસુલવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, જેમાં 40 ટકાથી વધુ ચૂકવણી ન કરાયેલા ચલણો માત્ર મુંબઈના છે. પોલીસનો દાવો છે કે ડિજિટલ ચુકવણીને કારણે પુન:પ્રાપ્તિને ખરાબ અસર થઈ હતી, પરંતુ રોકડ ચુકવણી ફરી શરૂ કરવામાં આવી હોવાથી, રિકવરી દર વધી ગયો છે.

વાહન ચાલકો તરફથી ઈ.ચલણની રકમ નો આંક ભયંકર રીતે મોટો હોવાથી થાણામાં પાછલા વર્ષે રોકડમાં દંડ વસૂલવાની શરૂઆત કરતાં સારી રકમની વસુલાત થઈ હતી. આંબી સફળતા જોઈ  મુંબઇમાં પણ મંગળવારથી રોકડ રકમમાં દંડ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ વાહનચાલક નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાય છે, તો તેને હવે ઇ-ચલન આપવામાં આવશે અને રોકડ ચૂકવણી સ્વીકારવામાં આવશે. જો આ સમયે ઉલ્લંઘન કરનાર પાસે રોકડ નથી, તો તેઓ ઓનલાઇન (પેટીએમ,ગુગલ પે વગેરે) ચુકવણી કરી શકે છે અથવા ક્રેડિટ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકે છે..

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version