Site icon News Continuous Bureau | Mumbai

હાશ!! રેલવેએ સામાન્ય લોકો વિશે વિચાર્યું. હવે કરશે એવું કામ જેનાથી રિઝર્વેશનની ઝંઝટ છૂટી જશે. જાણે વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ડિસેમ્બર 2020 

અંગ્રેજોના જમાનામાં સ્થપાયેલી રેલ્વેને દેશની જીવનરેખા માનવામાં આવે છે. કોરોના વાયરસને કારણે તે બંધ થવાને કારણે લાખો મુસાફરો પ્રભાવિત થઈ રહ્યા છે. પરંતુ રેલ્વે હવે લોકોની મુશ્કેલીઓને દૂર કરવા રિઝર્વેશન વિના ટ્રેનો ચલાવવાનું વિચારી રહ્યું છે.  

આમાં મુસાફરો કરન્ટ ટિકિટ લઈને તુરંત મુસાફરી કરી શકશે. આમ રિઝર્વેશન કર્યા વગર જ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. રેલ્વે દ્વાર ટ્રેનોને પહેલા એક ડિવિઝનમાં જ ચલાવશે, બાદમાં તે અન્ય વિભાગ વચ્ચે દોડાવાશે.  

 

આ ટ્રેનોમાં સંપૂર્ણ જનરલ કોચ હશે પરંતુ આ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન રહેશે. પરંતું, આ ટ્રેનો કોરોના વાયરસની રસી લાવ્યા બાદ શરૂ થઈ શકે છે. 

ઔદ્યોગિક શહેરોમાં જવા અને પાછા ફરવા માટે આરક્ષણ  તરત મળતું નથી. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ચેન્નાઈ, કોલકાતા, જમ્મુ સહિતના અન્ય શહેરોમાં જવા માટેની મહત્વપૂર્ણ ટ્રેનોમાં તો 15 જાન્યુઆરી સુધીનું રિઝર્વેશન અત્યારથી ફૂલ થઈ ગયું છે. 

દુર્ગાપૂજા, દીપાવલી, છઠ જેવા તહેવારોની સીઝનમાં મહાનગરોથી પરત આવતા મુસાફરોની સુવિધા માટે વિશેષ પૂજા ટ્રેનો દોડાવવામાં આવી હતી. આથી થોડી રાહત મળી, પરંતુ બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, લાંબા અંતર માટે રિઝર્વેશન મેળવવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આથી રિઝર્વેશન વિનાની ટ્રેનો દોડાવ્યા બાદ લોકોને મોટી રાહત મળી શકે છે.

Mumbai Water Crisis મુંબઈ પર પાણીનું સંકટ: ગત વર્ષની સરખામણીમાં સ્થિતિ ચિંતાજનક, જળાશયોમાં માત્ર ૭.૫૩% પાણીનો જથ્થો બાકી
AC Local Train Delays પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય AC લોકલની વધતી ગતિ અને સમયપાલન માટે હવે સ્ટેશન પર તૈનાત રહેશે ‘પુશર્સ’
Rat Poison Pills Seized મુંબઈમાં મોહરમ જુલૂસ દરમિયાન ચૂહા મારવાની ગોળીઓ વહેંચવાનું કાવતરું, ૧૪ હજાર ગોળીઓ સાથે યુવાન ઝડપાયો
Re 1 Clothing Offer Chaos મુંબઈના ઇન્ફિનિટી મોલમાં માત્ર ૧ રૂપિયામાં કપડાં લેવા પડાપડી, ભીડ જોઈને સ્ટોર બંધ કરવો પડ્યો
Exit mobile version