Site icon

આ તારીખથી હાર્બર, ટ્રાન્સહાર્બર અને બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટ માટે સુધારેલા ટાઈમટેબલ અમલમાં મૂકાશે; હાર્બરમાં 12 એસી લોકલ ફેરી; જાણો ફેરફાર વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાકાળ બાદ હવે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી લોકલ ટ્રેનો દોડતી થઈ છે. જ્યારે હાર્બરના પ્રવાસીઓ આ ટ્રેનથી વંચિત છે, પરંતુ 1 ડિસેમ્બરથી હાર્બરમાં પણ એસી લોકલ ટ્રેનો દોડશે. આ એસી લોકલની 12 ફેરી રહેશે.

મધ્ય રેલવે 1લી ડિસેમ્બરથી હાર્બર, ટ્રાન્સહાર્બર અને ચોથા કોરિડોર એટલે કે બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટ માટે સુધારેલા ટાઈમટેબલને અમલમાં મૂકશે. કોરોનાના સમયમાં મુંબઈ પરાની લોકલ સેવાને ભારે ફટકો પડ્યો હતો. તેથી જ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હાર્બર રૂટનું સુધારેલું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ એસી લોકલ ટ્રેન 1 ડિસેમ્બરથી હાર્બર ખાતે શરૂ થશે અને સોમવારથી શુક્રવાર સુધી દરરોજ એસી લોકલની 12 ફેરી થશે. ઉપરાંત, ઘણી લોકલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, મુંબઈને અડીને આવેલા આ વિસ્તારના વૃદ્ધાશ્રમમાં 69 લોકોને થયો કોરોના; જાણો વિગતે
 

આ છે ફેરફાર

– 1લી ડિસેમ્બરથી હાર્બર રૂટ પર 12 એસી લોકલ ટ્રેન સેવાઓ શરૂ થશે.

-છત્રપતિ શિવાજી ટર્મિનસ – અંધેરી અને પનવેલ – અંધેરી ટ્રેનોને ગોરેગાંવ સ્ટેશન સુધી લંબાવવામાં આવશે.

-CST અને અંધેરી વચ્ચેની 44 સેવાઓને ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે, પનવેલ અને અંધેરી વચ્ચેની 18 સેવાઓને ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે.

– હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બાંદ્રા વચ્ચે ચાલતી 2 ટ્રેનોને ગોરેગાંવ સુધી લંબાવવામાં આવશે.

– થાણેથી સવારે 10.40 કલાકે અને 23.14 કલાકે ઉપડતી ટ્રાન્સહાર્બર બેલાપુર લોકલ હવે પનવેલ માટે દોડશે.

-એસી લોકલ સોમવારથી શનિવાર સુધી દોડશે અને સામાન્ય લોકલ રવિવાર/નિયુક્ત રજાના દિવસે ચોક્કસ સમયે દોડશે.

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version