Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય રાજ્ય રેલવેપ્રધાને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો, લોકોને પૂછ્યા સવાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મંગળવારે સવારે મુંબઇની લોકલમાં પ્રવાસ કર્યો અને પ્રવાસીઓને મળનારી સુવિધાઓની સમીક્ષા કરી હતી, જેની જાણકારી અધિકારીઓએ આપી છે.
રેલવેના રાજ્યકક્ષાના પ્રધાનનો કારભાર સંભાળ્યા બાદ પ્રથમ વાર તેમણે મુંબઇની મુલાકાત લીધી.

પેન અને આધાર કાર્ડ જોડવા NSEએ આપી આ તારીખ સુધીની મુદત, અન્યથા ટ્રેડિંગ મેમ્બરોને આવી શકે છે આ અડચણ; જાણો વિગત

Join Our WhatsApp Channel

દાનવે કુર્લા જનારી ધીમી લોકલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરથી ચડ્યા હતા, ત્યાર બાદ દાદર સ્ટેશને ઊતર્યા હતા. ૨૦થી ૨૫ મિનિટના પ્રવાસ દરમિયાન તેમણે પ્રવાસીઓ અને મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી. દાદર સ્ટેશન પર તેમણે જુદી-જુદી પ્રવાસી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે મેટ્રો શહેરમાં દાદર સહુથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે.
મુંબઈના પ્રવાસીઓનો પ્રવાસ સુલભ અને સુરક્ષિત બને એ માટે યોજનાઓ બનાવીશું એવું દાનવેએ જણાવ્યું હતું.

MHADA Mumbai lottery response વિક્રોળીના પ્રોજેક્ટમાં ભાવ ઘટાડા છતાં ૨૩૬ ઘરોને મળ્યો ‘શૂન્ય’ પ્રતિસાદ
Mumbai Businessman suicide મુંબઈના બાંદ્રાવર્લી સી લિંક પરથી ગુજરાતી ઉદ્યોગપતિએ દરિયામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Cyber Fraud Gang Busted સાવધાન! એપીકે (APK) ફાઈલ દ્વારા ૪૩ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસ દ્વારા ૬ ઠગોની ધરપકડ
Mumbai Illegal Schools બોગસ સ્કૂલો પર શિક્ષણ વિભાગની મોટી સર્જિકલ સ્ટ્રાઈક! મુંબઈના કયા વિસ્તારમાં છે સૌથી વધુ ગેરકાયદેસર શાળાઓ?
Exit mobile version