Site icon

પાલઘર જિલ્લાની ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું – લાગી ભીષણ આગ – આટલા મજૂરો જીવતા હોમાયા 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘર(Palghar)ના વસઈમાં બુધવારે હાઈડ્રોજન ગેસ સિલિન્ડર(Hydrogen Gas Cylinder)ના વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના થઈ હતી. સિલિન્ડર ફાટતાં(Cylinder Blast) કારખાનામાં આગ ફાટી નીકળી હતી. આ આગને પગલે ઓછામાં ઓછા ત્રણ મજૂરો(workers)ના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ, વસઈVasai)ના ચંદ્રપારા(Chandrapara) વિસ્તારમાં સ્થિત કંપનીમાં બુધવારે બપોરે લગભગ 3 વાગે અચાનક એક હાઈડ્રોજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના સમયે કંપનીમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મજૂરો(worker)ના ઘટનાસ્થળે જ દાઝી જવાથી મોત થયા હતા, જ્યારે આઠ મજૂરો ગંભીર રીતે ઘાયલ(Injured) થયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ 29 જૂને પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પાલઘરના તારપુરમાં MIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં એક પછી એક બ્લાસ્ટને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version