Mangal Prabhat Lodha: વીરચંદ ગાંધીના પરિવારજનોનું મકાન તુટશે નહી, રિપેર થશે: મંત્રી મંગલ પ્રભાત લોઢા

Mangal Prabhat Lodha: ચકલા સ્ટ્રીટમાં ગત સપ્તાહે આગમાં બળી ગયા બાદ આ મકાન તોડવા આવેલી મ્હાડાની ટીમને અટકાવાઇ

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha: સ્વાતંત્ર્ય સેનાની અને ૧૮૯૩માં અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથે અમેરિકા ગયેલા વીરચંદ રાધવજી ગાંધીના ( Veerchand Raghav Gandhi ) પરિવાર જનોનું મુંબઇમાં ચકલા સ્ટ્રીટ સ્થિત મકાન તોડવાને બદલે તેને રિપેર કરીને ફરી આ પરિવારના વસવાટ માટે સોંપવાનાં ચક્રો ગતિમાન થયા છે. જૈન શ્રેષ્ઠી વીરચંદ ગાંધીના પૌત્ર અને પૌત્રીએ મુંબઇનાં ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાને કરેલી રજૂઆત બાદ આ જગ્યા તોડવા માટે આવેલા મ્હાડાનાં કોન્ટ્રક્ટરોને ( Mhada Contractors ) આ જગ્યાનું એતિહાસિક તથા સામાજીક મહત્વ સમજાવીને મંત્રી લોઢાએ તોડકામ અટકાવીને મ્હાડાના અધિકારીઓની મિટીંગ બોલાવી છે.

Join Our WhatsApp Community
Veerchand Gandhi's family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

Veerchand Gandhi’s family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

ગત ૧૭ મી જુને આગ લાગ્યા બાદ ચકલા સ્ટ્રીટનું ( Chakla Street ) તેમનું મકાન સળગી જવાથી વીરચંદ ગાંધીનાં પૌત્ર પ્રકાશ ગાંધી અને પૌત્રી સરલાબેન ગાંધી નિરાધાર થયા હતા. એવામાં આજે મ્હાડાના કોન્ટ્રાક્ટર અફઝલ ભાઇની ટીમ આ મકાન તોડવા માટે ઘટના સ્થળે પહોંચી હોવાની જાણ થતા જૈન સમાજનાં પ્રતિનિધીઓ અને પ્રકાશ ગાંધી તથા સરલા બહેને મંત્રી લોઢાનો સંપર્ક કરતા તેઓ ચકલા સ્ટ્રીટ ગયા હતા અને આ પરિવારનું અને તેમના મકાનનું સામાજીક અને એતિહાસિક દ્રષ્ટિએ કેટલું મહત્વ છે તે સમજાવીને તોડકામ અટકાવ્યું હતું. આ સાથે મંત્રી લોઢાએ વીરચંદ ગાંધીના પરિવારને તેમનું મકાન રિપેરીંગ ( House Repairing  )કરીને સુરક્ષિત પાછું અપાવવાનાં તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.

Veerchand Gandhi’s family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ સોમવાર ૨૪ મી જુને મંત્રાલયમાં મ્હાડાનાં અધિકારીઓની એક બેઠક બોલાવી છે જેમા આ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનને મ્હાડાનાં ફંડ અને જરૂર પડે તો સામાજીક સહાય સાથે ફરી રહેવા લાયક કરી આપવાની થયેલી પહેલ ઉપર અંતિમ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે

આ સમાચાર  પણ વાંચો : Artificial Intelligence: AI કોઈ ખતરો નથી, નોકરીઓ ગુમાવશો નહીં, તેના કરતાં વધુ નવી નોકરીઓનું સર્જન થશે

અત્રે ઉલ્લેખનીય છે કે વીરચંદ રાધવજી ગાંધી બેરિસ્ટર હતા અને એક સમયે મહાત્મા ગાંધીના ( Mahatma Gandhi ) ગૂરૂ હતા. ભુતકાળમાં જ્યારે દેશમાં દુષ્કાળનો સમય હતો ત્યારે વીરચંદ ગાંધીએ અસર ગ્રસ્તો માટે જહાજ ભરીને અનાજની પણ વ્યવસ્થા કરી હોવાનું તેમના પરિવાર જનોએ જણાવ્યું હતું. જો કે આજે સંજોગો બદલયા છે અને તેમના પૌત્ર પાસે આ સ્થાનને ફરી ઉભું કરવાની ક્ષમતા નથી.

Veerchand Gandhi’s family house will not be demolished, will be repaired Minister Mangal Prabhat Lodha

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Lalbaug Jain Temple Theft:લાલબાગના જૈન મંદિરમાં કરોડોની ઘરફોડ ચોરી: ભગવાનના ₹1.75 કરોડના સોના-હીરાના આભૂષણોની ઉઠાંતરી, તસ્કર CCTVમાં કેદ
Mumbai Hotel Death Case: મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં બ્રિટિશ નાગરિકનો મૃતદેહ મળતા ખળભળાટ: નરીમાન પોઈન્ટ વિસ્તારમાં સનસનાટી, પોલીસે તપાસ તેજ કરી
Mumbai Cyber Fraud:મુંબઈ પોલીસનો સપાટો: પેટ્રોલ પંપ દ્વારા સાયબર ફ્રોડના પૈસા ‘વ્હાઈટ’ કરવાનું કૌભાંડ ઝડપાયું, હાઈટેક રેકેટનો પર્દાફાશ
Mumbai Jeweller Fraud Case:મુંબઈના ઝવેરી સાથે ₹1.47 કરોડની ઠગાઈ: વિશ્વાસુ એજન્ટે સોના-હીરાના ઘરેણાં પચાવી પાડ્યા, બેંગલુરુના શખ્સ સામે ગુનો દાખલ
Exit mobile version