Site icon News Continuous Bureau | Mumbai

એક તો ચોરી ઉપરથી સીનાજોરી… કોરોના દરમિયાન નકલી બિલની તપાસ કરનાર મહાનગરપાલિકાની વિજિલન્સનું કામ કમિશનરે બંધ કરાવ્યું…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020 
કોવિડ રોગચાળા સામે લડવા માટે, બીએમસીએ અત્યાર સુધીમાં 1,100 સો કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ ઘણી વખત બીએમસી પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, હોસ્પિટલોમાં આરોગ્ય ઉપકરણોના સપ્લાયના નામે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બીએમસી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મુકાયા હોવાના મામલે બીએમસી કમિશનર ઇકબાલસિંહ ચહલે બીએમસીના 5 ટકા બાકીના બીલોની તપાસ માટે વિજિલન્સ વિભાગ માટે પરિપત્ર બહાર પડ્યો છે.


બીએમસી 15,000 કરોડના ખર્ચે મુંબઈમાં દરિયાકાંઠાનો રસ્તો પણ બનાવી રહી છે. વર્ષ 2019-20 માટે બીએમસીએ 3,500 કરોડની જોગવાઈ કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાંઠાના માર્ગના કોન્ટ્રાક્ટરને ચકાસણીથી દૂર રાખવા માટે મનપા વહીવટી તંત્ર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વિજીલન્સ વિભાગ તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી BMC કોઈપણ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા કામોનું BMX 5% બિલ BMC પાસે રાખતા હતા. હવે કમ્પ્યુટર દ્વારા, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ આ બિલને રેન્ડમ રીતે બહાર કાઢશે અને તેની તપાસ કરશે.
@ હવે જો યોગ્ય નહીં હોય તો તપાસ કોણ કરશે?
મુંબઈમાં કોરોના સંકટને કારણે BMC સમિતિઓની બેઠક મળી ન હતી. ઇમર્જન્સીમાં માલ ખરીદવા માટે કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડર લીધા વિના કરાર કરાયો હતો. કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કામનું બિલ હવે મંજૂરી માટે BMC સ્થાયી સમિતિ સમક્ષ લાવવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે બીએમસીમાં કોવિડ ઉપરાંત દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ પર હજારો કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેની તપાસ ટાળવા વિજિલન્સ વિભાગ પાસેથી તપાસ છીનવી લીધી છે. હતી. હવે જો વિજિલન્સ પાસે તપાસ નહીં થાય તો બીલ કોણ તપાસશે? એ પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાયી સમિતિમાં હંગામો થઈ શકે છે
ભાજપ જ નહીં વિપક્ષી પાર્ટીના તમામ સભ્યો મનપા કમિશનર અને બીએમસીની શાસક પક્ષ પર મનસ્વી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કમિશનર અથવા બીએમસીના અન્ય અધિકારીઓ કોર્પોરેટરોના કોઈપણ પત્રનો જવાબ આપવાનું ટાળી રહ્યા છે.
આ ખૂબ જ ગંભીર બાબત છે. બીએમસી વહીવટીતંત્રએ કૌભાંડોની તપાસ ન થાય તે માટે વિજિલન્સ વિભાગને તપાસથી અલગ કરી દીધા છે. હવે બીએમસી વહીવટીતંત્રે સ્થાયી સમિતિને જવાબ આપવો પડશે કે કમિશનરે કયા કોન્ટ્રાક્ટરને બચાવવા વિજિલન્સ વિભાગને તપાસથી અલગ કરી દીધા છે. જો વિજિલન્સ વિભાગ સાથે કોઈ તપાસ કરવામાં નહીં આવે તો તપાસ કોણ કરશે. ભ્રષ્ટાચારમાં બીએમસી વહીવટને મુક્ત હાથ આપી શકાય નહીં. એવું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું..

Join Our WhatsApp Channel
Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version