Site icon

ગણેશવિસર્જન સાથે કોરોનાના નિયમોનું પણ વિસર્જન થયું, આવા હાલ થયા વિસર્જનસ્થળ પર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના માટે મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલા નિયમો ફકdત કાગળ પર જ હોવાનું દોઢ દિવસના ગણપતિબાપ્પાના વિસર્જન દરમિયાન જણાઈ આવ્યું છે. ઘરના તથા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માટે કોરોના પ્રતિબંધાત્મક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ વિસર્જન સમયે ઘરની ગણેશ મૂર્તિ સહિત પાંચ લોકો તો સાર્વજનિક ગણેશ મંડળ માટે દસ ભક્તોને જોડાવાનું કહેવામાં આવ્યું હતું. છતાં શનિવારે દોઢ દિવસના વિસર્જન દરમિયાન આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. દરેક ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ તથા પાલિકા દ્વારા આ લોકોને હટાવવા માટે પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. એટલું જ નહીં, પણ વિસર્જન દરમિયાન કોઈ સરઘસ કાઢવું નહીં.

મુંબઈ વાસીઓ સાવધાન. હવામાન વિભાગનો વર્તારો : આગામી પાંચ દિવસો દરમિયાન આ વિસ્તારમાં પડશે મુશળધાર વરસાદ

મંડળમાં અને ઘરમાં જ આરતી કરી આવી એવા નિયમોનો પણ વિસર્જનસ્થળે ભંગ થયો હતો. વિસર્જન સ્થળે મોટા પ્રમાણમાં ભીડ થતાં સામાજિક અંતર જાળવવાનો નિયમ ફક્ત કાગળ પર જ રહ્યો હતો. એટલું જ નહીં, પણ વિસર્જનમાં જોડાયેલા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં એ તપાસ માટે પણ પાલિકાના કે પોલીસના કોઈ અધિકારી હાજર જણાતા નહોતા

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version