Site icon News Continuous Bureau | Mumbai

ગણેશવિસર્જન સાથે કોરોનાના નિયમોનું પણ વિસર્જન થયું, આવા હાલ થયા વિસર્જનસ્થળ પર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોના માટે મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલા નિયમો ફકdત કાગળ પર જ હોવાનું દોઢ દિવસના ગણપતિબાપ્પાના વિસર્જન દરમિયાન જણાઈ આવ્યું છે. ઘરના તથા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માટે કોરોના પ્રતિબંધાત્મક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ વિસર્જન સમયે ઘરની ગણેશ મૂર્તિ સહિત પાંચ લોકો તો સાર્વજનિક ગણેશ મંડળ માટે દસ ભક્તોને જોડાવાનું કહેવામાં આવ્યું હતું. છતાં શનિવારે દોઢ દિવસના વિસર્જન દરમિયાન આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. દરેક ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ તથા પાલિકા દ્વારા આ લોકોને હટાવવા માટે પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. એટલું જ નહીં, પણ વિસર્જન દરમિયાન કોઈ સરઘસ કાઢવું નહીં.

મુંબઈ વાસીઓ સાવધાન. હવામાન વિભાગનો વર્તારો : આગામી પાંચ દિવસો દરમિયાન આ વિસ્તારમાં પડશે મુશળધાર વરસાદ

મંડળમાં અને ઘરમાં જ આરતી કરી આવી એવા નિયમોનો પણ વિસર્જનસ્થળે ભંગ થયો હતો. વિસર્જન સ્થળે મોટા પ્રમાણમાં ભીડ થતાં સામાજિક અંતર જાળવવાનો નિયમ ફક્ત કાગળ પર જ રહ્યો હતો. એટલું જ નહીં, પણ વિસર્જનમાં જોડાયેલા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં એ તપાસ માટે પણ પાલિકાના કે પોલીસના કોઈ અધિકારી હાજર જણાતા નહોતા

Mumbai Rain Water મુસળધાર વરસાદથી મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં ૮૩ ટકા પાણીનો જથ્થો જમા, જાણો એક ટકા પાણી કેટલા દિવસ ચાલે?
Illegal Foreign Couple Arrested In Mahim માહિમમાંથી ૨૦ વર્ષથી ગેરકાયદે રહેતું વિદેશી દંપતી ઝડપાયું સાયબર તપાસથી ખૂલી પોલ
Gold Smuggling At Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈનો મોટો સપાટો ૨૩.૬૩ કરોડનું સોનું જપ્ત અને ૮ની ધરપકડ
Mumbai Press Club Election મુંબઈ પ્રેસ ક્લબની ચૂંટણીમાં ‘સેવ ધ પ્રેસ ક્લબ એલાયન્સ’નો ભવ્ય વિજય; સુરેન્દ્ર પી. ગંગાન પ્રમુખ તરીકે ચૂંટાયા
Exit mobile version