Site icon

સાવધાન : મુંબઈના આ વિસ્તારમાં રહેશે આટલા ટકા પાણીકાપ, 3 ઑગસ્ટના પાણીની પાઇપલાઇનનું થશે સમારકામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 31 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઇપલાઇનમાં મોટા પ્રમાણમાં સમારકામ કરવાની છે. આ કામ મંગળવાર 3 ઑગસ્ટના કરવામાં આવનાર છે. એથી મંગળવારના રોજ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરમાં 15 ટકા પાણીકાપ રહેશે, તો કુર્લા, ઘાટકોપર, અંધેરી અને ગોરેગામના અમુક વિસ્તારમાં 100 ટકા પાણીકાપ રહેશે.

શાબ્બાશ, બોરીવલીના 27 જૈન સંઘોએ કરી ઉલ્લેખનીય કામગીરી : રાજ્યપાલના હસ્તે થયું સન્માન : લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને અનાજ, દવા-પાણી તથા રોકડ રકમની મદદ કરી હતી; જાણો વિગત

પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા જણાવ્યા મુજબ પાલિકાની પવઈ વેરાવલીમાં આવેલી વૉટર ટનલ અને વેરાવલી રિઝર્વિયરમાંથી રહેલી પાણીનો પુરવઠો કરનારી પાઇપલાઇનમાં અમુક જગ્યાએ જોડાણ અને અમુક જગ્યાએ વ્યાસ બદલવામાં આવવાના છે. તેમ જ ભાંડુપ પમ્પિંગ કૉમ્પ્લેક્સમાં પણ પાઇપલાઇનમાં વ્યાસ બદલવામાં આવનાર છે. આ કામ મંગળવારના સવારના સાડાઆઠથી રાતના સાડાદસ વાગ્યા સુધી ચાલવાનું છે. એથી આ સમય દરમિયાન વિલેપાર્લે, ગોરેગામ, કુર્લા, ઘાટકોપર, અંધેરીમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વિલેપાર્લે, જોગેશ્વરી (ઈસ્ટ), અને ગોરેગામના અમુક વિસ્તારોમાં પાણી ઓછા દબાણ સાથે મળશે. દક્ષિણ મુંબઈમાં પરેલ અને સાયનને બાદ કરતાં તમામ વિસ્તારમાં 15 ટકા પાણીકાપ રહેશે.

 

Mumbai Crime Branch Unit 3 Raid: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: સાયબર ફ્રોડના કરોડો રૂપિયા ફેરવવા બનાવી ૯ બોગસ કંપનીઓ; મસ્જિદ બંદરમાંથી બે સૂત્રધારો ઝડપાયા.
Instagram Shopping Fraud Mumbai: ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શોપિંગ કરવી પડી ભારે: મુંબઈની યુવતીએ લખનવી સૂટ મંગાવવામાં ₹૩૬,૫૦૦ ગુમાવ્યા; ઠગોએ નકલી બિલ મોકલી આચરી છેતરપિંડી.
Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Exit mobile version