ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
ચોમાસા પૂર્વે થાણે મહાનગરપાલિકાએ પમ્પિંગ સ્ટેશન પાસે સમારકામનું કામ હાથ ધર્યું હોવાને કારણે શુક્રવાર એટલે કે 28 મેના દિવસે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી થાણા શહેરના અનેક વિસ્તારમાં પાણીકપાતની જાહેરાત કરી છે. થાણાના ગોડબંદર રોડ, પાતળીપાડા, બ્રહ્માંડ, હીરાનંદાની, વિજય નગરી, ગાયમુખ, ગાંધીનગર, સુકરપાડા, બાળકુમ, માજીવાડા, માનપાડા, કોઠારી કમ્પાઉન્ડ, આનંદ નગર, સાકેત, ઋતુ પાર્ક, સિદ્ધેશ્વર ટાંકી તેમ જ એની આસપાસના વિસ્તારમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 09:00 વાગ્યા સુધી પાણી નહીં આવે.
'અભી બોલા, અભી ફોક' મુંબઈ મહાનગરપાલિકા હવે એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નહીં બનાવે; આ છે કારણ
મહાનગરપાલિકાએ લોકોને સંભાળીને પાણી વાપરવાની અપીલ કરી છે.
