Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના સમાચાર:ગોખલે બ્રિજના રીપેરીંગને કારણે, અંધેરી, જોગેશ્વરી, વર્સોવામાં પાણી ભરાઈ જવાની શક્યતા

ગોખલે બ્રિજ: અંધેરી વેસ્ટ, જોગેશ્વરી, વર્સોવા વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. તેના ઉકેલ તરીકે પાલિકાએ મોગરા નાળા ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે.

Gopal Krishna Gokhale Bridge

Gopal Krishna Gokhale Bridge: મુંબઈમાં ગોખલે બ્રિજની એક લેન વર્ષના અંત સુધીમાં ખુલશે બ્રિજના નિર્માણ માટે આટલા સ્ટ્રક્ચરો તોડવામાં આવશે.. જાણો ક્યાં ક્યાં સ્ટ્રક્ચર તોડાશે… વાંચો વિગતે..

News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોખલે બ્રિજ સસ્પેન્ડ થવાને કારણે મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ પ્રભાવિત થયું છે. મહાનગરપાલિકા પાણીની મુખ્ય ચેનલ એવા પમ્પીંગ સ્ટેશનની પાણી સંગ્રહ ટાંકી ચાલુ કરી શકી નથી. તેથી, આ ચોમાસાની ઋતુમાં અંધેરી, જોગેશ્વરી અને વર્સોવા વિસ્તારમાં જળબંબાકારનું જોખમ ચાલુ રહેવાની સંભાવના છે. ગોખલે બ્રિજનો પ્રથમ પેસેજ ઓક્ટોબર સુધીમાં અને સમગ્ર કામ 2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ત્યાર બાદ જ મોગરા પમ્પિંગ સ્ટેશન માટે આગળના પગલાં લેવામાં આવશે તેમ મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

અંધેરી વેસ્ટ, જોગેશ્વરી, વર્સોવા વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. તેના ઉકેલ તરીકે પાલિકાએ મોગરા નાળા ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે 294 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કામ માટેનો લેખિત આદેશ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે અને આગામી 42 મહિનામાં કામ પૂર્ણ થવાની આશા છે. મોગરા પમ્પિંગ સ્ટેશન પર સાત પંપ લગાવવાની દરખાસ્ત છે. મોગરા પમ્પિંગ સ્ટેશન પશ્ચિમ ઉપનગરો માટે મહત્વનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : LG એ લોન્ચ કર્યું 1 કરોડ રૂપિયાનું ટીવી, જાણું આ 97 ઇંચ સ્ક્રીન વાળા સ્માર્ટ ટીવી વિશે.

અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ જોખમી છે અને તેને તોડીને ફરીથી બનાવવામાં આવી રહ્યો છે. જો કે આ માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ગોખલે બ્રિજનું સમગ્ર કામ માર્ચ 2024માં પૂર્ણ થવા જઈ રહ્યું છે. પાલિકાના રેઈન વોટર વિભાગ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યાં સુધી ગોખલે પુલનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ શક્ય બનશે નહીં.

પશ્ચિમ રેલ્વે હેઠળ માઇક્રોટનલીંગ સાથે અંધેરી સબવે નજીક પાણી સંગ્રહ ટાંકીનું નિર્માણ અને 1600 ક્યુબિક મીટર ટનલીંગનું કામ પ્રસ્તાવિત છે. અંધેરી સબવેથી ભારવાડી રોડ સુધીના વરસાદી પાણીને સંગ્રહ ટાંકીમાં સંગ્રહિત કરવામાં આવશે અને મોગરા નાળા દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા સબમર્સિબલ પંપની મદદથી નહેર દ્વારા છોડવામાં આવશે. આ કામ માટે લગભગ 35 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગોખલે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ આ કામ હાથ ધરાશે તેવી માહિતી પાલિકાએ આપી છે.

પાણીના નિકાલ માટે છ પંપ

મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ હાલ પૂર્ણ થઈ શકતું ન હોવાથી અંધેરી વેસ્ટ, જોગેશ્વરી, વર્સોવાના રહેવાસીઓને ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મિલિયોનેર ટાવર પાછળ, એસ.વી. રોડ, અંધેરી વેસ્ટ અને વીરા દેસાઈ રોડ અને જીવનનગર વચ્ચે, 3000 ક્યુબિક મીટર ક્ષમતાના કુલ છ પંપ ત્રણ જગ્યાએ, બે-બે સ્થાપિત કરવામાં આવશે. જેના કારણે વરસાદની સિઝનમાં પાણીનો ઝડપથી નિકાલ થશે તેવી પ્રશાસન દ્વારા માન્યતા વ્યકત કરવામાં આવી છે. આ કામનો અંદાજિત ખર્ચ રૂ.5.77 કરોડ છે.

 

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Mumbai Versova Dahisar Coastal Road। મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે ૧,૨૦૦ વૃક્ષો કાપવા મંજૂરી, ૭૦૦ વૃક્ષોને પનવેલમાં રીપ્લાન્ટ કરાશે
Exit mobile version