Site icon

રેલવે પરિસરમાં ધુમ્રપાન વિરોધી સુરક્ષા અભિયાન, પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો આટલો દંડ… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 01, માર્ચ 2022,  

Join Our WhatsApp Community

મંગળવાર, 

રેલવે પરિસરમાં ધુમ્રપાન કરવું જોખમી છે. તેથી પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને સલામત અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવા માટે વ્યાપક ધૂમ્રપાન વિરોધી ઝુંબેશ શરૂ કરી હતી. આ અભિયાન 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન 126 વ્યક્તિઓ પાસેથી 21,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ માં આવેલા મુખ્યાલય સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ એમ તમામ છ ઝોનમાં ધૂમ્રપાન વિરોધી સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઝુંબેશ હેઠળ, 24 ફેબ્રુઆરી, 2022 થી 27 ફેબ્રુઆરી, 2022 સુધી કુલ 126 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ 2003 હેઠળ દંડ તરીકે તેમની પાસેથી  21,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જે અંતર્ગત હેડક્વાર્ટર ફ્લાઈંગ સ્ક્વોડે 17 કેસ નોંધી તેમની પાસેથી 3400 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. 

યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ચિમ રેલવે હોળીના તહેવાર દરમિયાન મુંબઈથી આ સ્ટેશનનો વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવશે.

મુંબઈ ડિવિઝનના 12 કેસ અને 2400 રૂપિયાનો દંડ, વડોદરા ડિવિઝનના 11 કેસ અને 1100 રૂપિયાનો દંડ, અમદાવાદ ડિવિઝનના 21 કેસ અને 3400 રૂપિયાનો દંડ, રાજકોટમાં 21 કેસ અને  ડિવિઝન 23 કેસમાં 2500 રૂપિયાનો દંડ, ભાવનગર ડિવિઝનમાં 17 કેસમાં 1700 રૂપિયાનો દંડ અને રતલામ ડિવિઝનમાં 25 કેસમાં 6500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version