Site icon News Continuous Bureau | Mumbai

યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ર્ચિમ રેલવેની અમુક ટ્રેનો આ કારણથી બાંદ્રાને બદલે બોરીવલીમાં ટૂંકાવી દેવામાં આવશે.  જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ટેકનિકલ કારણથી(Technical issue) તેમ જ ટ્રેનો મોડી પડતી રોકવા માટે પશ્ચિમ રેલવેએ(Western railway) તેની અમુક બહારગામની  ટ્રેનોને બાંદ્રા ટર્મિનસ (Bandra terminus)ને બદલે બોરીવલી સ્ટેશન(Borivali station) પર ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો છે. 

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ, આ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે, જેમાં 

28 એપ્રિલથી 30 જૂન 2022 સુધીની ટ્રેન નંબર 19004 ભુસાવળ – બાંદ્રા ટર્મિનસ ખાનદેશ એક્સપ્રેસ (Express train)ગુરુવારે દોડનારી ટ્રેન બાંદ્રા ટર્મિનસ સ્ટેશન ને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું  પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. જાણો વિગતે.

ટ્રેન નંબર 09006 ઈજ્જત નગર – બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ સ્ટેશન ને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવશે. ટ્રેન 03.57 કલાકે બોરીવલી સ્ટેશન પહોંચશે. આ ફેરફાર 30 એપ્રિલ, 2022 થી 18 જૂન, 2022 સુધી અમલમાં રહેશે.

ટ્રેન ના સંચાલનના સમય, સ્ટોપેજ સહિતની  સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Manhole Tragedy મુંબઈ હાઈકોર્ટનું મ્યુનિસિપલ કોર્પોરેશન પર લાલઘૂમ મેનહોલમાં થયેલા મૃત્યુ તમારી બેદરકારીનું પરિણામ!
BEST Employees Pension Delay નિવૃત્ત કર્મચારીઓના હકની લડાઈ… ‘બેસ્ટ’ને ગ્રેચ્યુઈટી અને પેન્શનમાં વિલંબ બદલ વ્યાજ ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ
Mumbai Rains વરસાદના પાણીમાં મસ્તી મુંબઈના રસ્તાઓ પર છવાયો ‘વોટર પાર્ક’ જેવો માહોલ
MUSKAAN Exhibition 2026 મુંબઈમાં ‘મુસ્કાન 2026’ નો જાદુ ભારે વરસાદ વચ્ચે પણ લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
Exit mobile version