Site icon News Continuous Bureau | Mumbai

ચક્રવાતને કારણે મુંબઈ શહેરમાં આટલાં બધાં વૃક્ષો કેમ ધરાશાયી થયાં? ખરું કારણ અત્યારે સામે આવ્યું….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

મુંબઈ શહેરમાં ગત ૨૪ કલાક દરમિયાન 812 વૃક્ષ પડી ગયાં, જેમાંથી 504 વૃક્ષો ખાનગી જમીન પર આવેલાં છે, જ્યારે 308 વૃક્ષો સાર્વજનિક પરિસરમાં છે. આજથી અગાઉ એક દિવસમાં આટલાં બધાં વૃક્ષો ક્યારેય ધરાશાયી થયાં નથી. આથી પર્યાવરણવાદીઓ તેમ જ મુંબઈ મહાનગરપાલિકા એ વાતનું નિરીક્ષણ કરી રહી છે કે મુંબઈ શહેરનાં વૃક્ષો આટલાં નબળાં કેમ પડી ગયાં? હવે ધીમે ધીમે આ બાબત પરથી પડદો ઊઠવાની શરૂઆત થઈ ગઈ છે.

જે વૃક્ષો પડી ગયાં છે એમાંથી ૭૦ ટકા વૃક્ષો વિદેશી પ્રજાતિનાં છે. આ વૃક્ષોમાં ગુલમહોર, સોનમહોર, રેઇન ટ્રી અને રૉયલ પાન જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે કે એની પાસે હવે 41 એવાં વૃક્ષોની સૂચિ છે જે ભારતીય અને એમાં પણ ખાસ કરીને મુંબઈની પ્રજાતિનાં છે. હવેથી આ વૃક્ષોને જ મુંબઈ શહેરમાં ઉગાડવામાં આવશે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version