ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સારી પેઠે ખખડાવી છે. આજે બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ની એન્ટ્રી સંદર્ભે સુનાવણી કરતા કડક ટિપ્પણી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે જો બે વેકસીન લીધા પછી પણ લોકોએ પોતાના ઘરે બેસવાનું હોય તો પછી લોકોને બે વેક્સિન આપવાની જરુર શું હતી? હવે આ સંદર્ભે રાજ્ય સરકાર આગામી સુનાવણી દરમિયાન પોતાનો જવાબ નોંધાવશે.
લૉકડાઉનના નિયમો હળવા કરવા સંદર્ભે BMCએ રાજ્ય સરકાર પર જવાબદારી નાખી; જાણો શું કહ્યું? જાણો વિગત
આમ રાજ્ય સરકાર તરફ લોકલ ટ્રેનના દરવાજા ખોલવા માટે ચારે તરફથી દબાણ આવી રહ્યું છે.
