Site icon

બાપરે! મુંબઈગરાના માથે પાણીકાપનું સંકટ, બે વર્ષની સરખામણીમાં તળાવોમાં આ વર્ષે સૌથી ઓછું પાણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,14 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં પૂર આવ્યાં છે, પરંતુ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોમાં છૂટાછવાયા વરસાદનાં ઝાંપટાં જ પડી રહ્યાં છે. પરિસ્થિતિ એવી છે કે છેલ્લાં બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં સૌથી ઓછું પાણી છે. સાતેય જળાશયોમાં માત્ર 17 ટકા જેટલો પાણીનો સ્ટૉક બચ્યો છે. એથી મુંબઈગરાના માથે પાણીકાપ મુકાવાની શક્યતા જણાઈ રહી છે.

મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હાલ 2,50,518 મિલિયન લિટર જેટલો જ પાણીનો સ્ટૉક બચ્યો છે, જે માત્ર 17 ટકા કહેવાય. એની સામે 2020માં જળાશયોમાં આ સમયે 3,39,067 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો, તો 2019માં આ જ સમયે 6,52,728 મિલિયન લિટર જેટલું પાણી જમા હતું. છેલ્લાં બે વર્ષની સરખાણીમાં આ વર્ષે જળાશયોમાં પાણી ઓછું છે, એમાં પાછું જળાશયોના કૅચમેન્ટ એરિયામાં વરસાદનું પ્રમાણ નહિવત્ છે. એથી મુંબઈ પાલિકાનું ટેન્શન વધી ગયું છે.

જગતના નાથ દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં, જુઓ વીડિયો

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,800 મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણી આપવાનું હોય તો પહેલી ઑક્ટોબરના રોજ સાતેય જળાશયોમાં 14,47,000 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો જોઈએ. હાલ જળાશય માત્ર 17 ટકા પાણી બચ્યું છે. એની સામે વરસાદ પણ સંતોષજનક નથી. એથી બહુ જલદી પાણીકાપ બાબતે પાલિકા પ્રશાસન કોઈ નિર્ણય લે એવી શક્યતા છે.

Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો
Andheri Robbery Case:ખાખી વર્દીમાં લૂંટારો: અંધેરીમાં ₹25 લાખની લૂંટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા, તમામ રકમ રિકવર
Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર
Exit mobile version