News Continuous Bureau | Mumbai

Surat : સુરત શહેરના પુણા જનસેવા કેન્દ્રમાં એક દિવસમાં ૧૨૪૦ અરજદારો વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા

Surat : પુણા જનસેવા કેન્દ્રના કર્મયોગીઓ રાત્રે ૩.૦૦ વાગ્યા સુધી કામગીરી કરી. લોકોને સમયસર દાખલાઓ મળી રહે તે માટે કર્મયોગીઓએ ૨૦ કલાક ફરજ બજાવી

 News Continuous Bureau | Mumbai 

Surat :  ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ વિવિધ પ્રકારના દાખલાઓ ( Applicants  ) કઢાવવા માટે અરજદારોના ધસારાના પહોચી વળવા માટે સુરત શહેરના પુણા મામલતદારની કચેરીના બન્ને જનસેવા કેન્દ્રો ( Jan seva kendra ) રાત-દિવસ કામગીરી કરીને જનસેવા એજ પ્રભુસેવાની ઉકતીને સાચા અર્થમાં સાકારિત કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel
1240 applicants in various forms were dismissed in one day in Puna Janseva Kendra of Surat city

1240 applicants in various forms were dismissed in one day in Puna Janseva Kendra of Surat city

           પુણા મામલતદાર કચેરી ( Puna Mamlatdar Office ) દ્વારા હંગામી ધોરણે પુણાગામ તલાટીની કચેરી ખાતે કાર્યરત કરવામાં આવેલા જનસેવા કેન્દ્રમાં સવારે ૭.૦૦ થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી ચાલુ રહીને કામગીરી કરવામાં આવી રહી છે. ગત તા.૨૯મીના રોજ કર્મયોગીઓએ રાત્રે ૩.૦૦ વાગ્યા સુધી કામગીરી કરી એક જ દિવસમાં ૧૨૪૦ અરજદારોને દાખલાઓ કાઢી આપવાની ગૌરવપુર્ણ કામગીરી કરી હતી.     

1240 applicants in various forms were dismissed in one day in Puna Janseva Kendra of Surat city

              આમ પુણા જનસેવા કેન્દ્રમાં જનસુવિધા અર્થે અધિકારી-કર્મયોગીઓ ૨૦ કલાક ફરજ બજાવીને લોકોને સમયસર વિવિધપ્રકારના દાખલાઓ મળી રહે તે માટે ફરજ બજાવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra: મહારાષ્ટ્રની મહિલાઓ હવે ગુજરાતથી સીધુ પાણી લાવવા પર મજબુર, રોષે ભરાયેલ મહિલાઓએ તહેસીલ કચેરી સુધી કરી હાંડા કૂચ..

           નોંધનીય છે કે, પુણાના બન્ને જનસેવા કેન્દ્ર ખાતે દાખલાની કામગીરીને પહોચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને લોકોને સમયસર દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં ૯- ૯ કલાકની શિફ્ટમાં બે નાયબ મામલતદાર, બે તલાટીઓ તથા ૪-ઓપરેટરો મળી કુલ ૧૭ કર્મચારીઓ ( Employees ) ફરજ બજાવી રહ્યા છે

1240 applicants in various forms were dismissed in one day in Puna Janseva Kendra of Surat city

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version