Site icon

Surat: ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે પંચાયત વિસ્તારના ૧૬ રસ્તાઓ બંધ કરાયા..

Surat: જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ ૧૦૦૮ મી.મી. એટલે કે, ૪૦ ઈચ વરસાદ વરસ્યો

14 inches of rain fell in Umarpada taluk in four hours, 16 roads in the panchayat area were closed due to heavy rain.

14 inches of rain fell in Umarpada taluk in four hours, 16 roads in the panchayat area were closed due to heavy rain.

 News Continuous Bureau | Mumbai

Surat: ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ જેટલો ધોધમાર વરસાદ ( Heavy Rainfall ) વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન ચાર ઈચ તથા ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા દરમિયાન ૧૦ ઈચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા ( Umarpada ) તથા માંડવી તાલુકાઓના ૧૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

            જયારે ઓલપાડ ( olpad ) તાલુકામાં સવારના ૬.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન ૩ મી.મી., માંગરોળ તાલુકામાં ૧૭ મી.મી., માંડવીમાં છ, કામરેજમાં ચાર, બારડોલીમાં ત્રણ, મહુવામાં પાંચ, કામરેજમાં ચાર તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. આમ જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ ૧૦૦૮ મી.મી. એટલે કે, ૪૦ ઈચ વરસાદ વરસ્યો છે.  

આ સમાચાર પણ વાંચો:  Railway line Project: ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી

          ભારે વરસાદના ( Heavy Rain ) કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એક થી બીજા ગામને જોડતા ૧૬ રસ્તાઓ ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી, શરદા થી નવી વસાહત રોડ, શામપુરથી ઉમરઝર, બલાલકુવાથી વહાર, ઉમરઝર સરવણ ફોકડી થી નવાગામ તુંડી, પાડા એપ્રોચ રોડ, ચિતલદા સ્મશાનથી ગોડલીયા, ચંદ્રપાડાથી  ગોપાલીયા, વેલાવી ખરેડીપાડા, બિલવનથી હલધરી જયારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ, કોલખડી અને અંધારવાડી લીમ્દા રસ્તાઓ, ગોડધા લાડકુવા, મોરીઠા થી કાલિબેલ રેગામા, ગોડસંબા કરવલ્લી ટીટોાઇ સાલૈયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા. જેના વિકલ્પ રીતે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર.એન.બી. પંચાયત વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિના દરમિયાન લીથોટ્રીપ્સી પધ્ધતિથી ૫૬ દર્દીઓની પથરીઓ દુર કરવામાં આવીઃ
YouthFestival2025: યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ
Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ
Surat body donation: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું
Exit mobile version