Site icon

Dharmendra Pradhan Jain Vishva Bharati Institute: સુરતમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયો ‘આ’ સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ, વિદ્યાર્થીઓને કર્યું સંબોધિત.

Dharmendra Pradhan Jain Vishva Bharati Institute: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો. સાંસદ મુકેશ દલાલ અને આચાર્ય મહાશ્રમણજીની પ્રેરક ઉપસ્થિતિ. વિદ્યાર્થીઓને ડિગ્રી અને વિષયમાં દક્ષતા હાંસલ કરવાની સાથે મનની દક્ષ્યતા મેળવવા અનુરોધ કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી. વિવિધ વિદ્યાશાખાઓના 1917 છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત: પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન મેળવનારા 10 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર

Convocation of Jain Vishva Bharati Institute was held in surat under the chairmanship of Dharmendra Pradhan.

Convocation of Jain Vishva Bharati Institute was held in surat under the chairmanship of Dharmendra Pradhan.

News Continuous Bureau | Mumbai

Dharmendra Pradhan Jain Vishva Bharati Institute: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં વેસુ સ્થિત સંયમ વિહાર ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં જૈન વિદ્યા એવં તુલનાત્મક ધર્મ તથા દર્શન વિભાગ, પ્રાકૃત એવં સંસ્કૃત વિભાગ, યોગ એવં જીવન વિજ્ઞાન વિભાગ, અહિંસા એવં શાંતિ વિભાગ, શિક્ષા વિભાગ, અંગ્રેજી વિભાગ તેમજ આચાર્ય કાલુ કન્યા મહાવિદ્યાલય મળી 1917 યુવા છાત્ર-છાત્રાઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓમાં ઉચ્ચ સ્થાન મેળવનારા 10 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે સુરતના સાંસદશ્રી મુકેશ દલાલ અને આચાર્યશ્રી મહાશ્રમણજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  

Join Our WhatsApp Community

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ભારતીય સંવિધાનમાં વ્યક્તિની ગરિમાને વિશેષ સ્થાન મળ્યું છે. જ્ઞાન અને ચરિત્રનું શ્રેષ્ઠ નિર્માણ કરતી જૈન વિશ્વ ભારતી સંસ્થાનું મહત્વનું યોગદાન છે. આ દેશની પ્રથમ મોબાઈલ(ચલિત) સંસ્થા છે. જેમાં ભ્રમણ કરતા કરતા લોક ચરિત્રને આત્મસાત કરી શકાય છે. સમાનતા અને સમાનુભૂતિને મહત્વ આપતી આ સંસ્થા લોકોમાં જીવન મૂલ્યોનું શિક્ષણ આપે છે.   

વધુમાં જૈન વિશ્વ ભારતી સંસ્થાના સિધ્ધાંતો અને વિષયોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સરખાવતા તેમણે બાળકોમાં સૌ પ્રથમ આદર્શ મૂલ્યોની સ્થાપના પર મૂકાતા ભારણ વિષે વાત કરી હતી. વિદ્યાર્થીઓને ડિગ્રી અને વિષયમાં દક્ષ્યતા ( Convocation ) હાંસલ કરવાની સાથે મનની દક્ષ્યતા મેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અહિંસા પર ચાલતા જૈન ધર્મની ( Jainism ) જેમ જ ભારત દેશના મૂળમાં પણ યુગોથી અહિંસાને પ્રાધાન્ય અપાયું છે.

આ સમાચાર પણ વાંચો : Joe Biden Video : પડતાં પડતાં બચી ગયા જો બિડેન, રેતાળ બીચ પર લડખડાતા જોવા મળ્યા; જુઓ વિડીયો…

આ ( Dharmendra Pradhan Jain Vishva Bharati Institute ) પ્રસંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ દિનેશ મહેશ્વરીનું ડી-લિટની વિશેષ ઉપાધિ સાથે સન્માન કરાયું હતું. આચાર્યશ્રી મહાશ્રમણજીએ વિદ્યાર્થીઓને જીવન અને જ્ઞાનનું મહત્વ સમજાવી શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં જૈન વિશ્વ ભારતી સંસ્થાના કુલસચિવ અજય પાલ કૌશિક, ચાન્સેલરશ્રી અર્જુનરામ મેઘવાલ, વાઇસ ચાન્સેલરશ્રી પ્રો.બી.આર.દુગ્ગર ગવર્નિંગ બોડીના સભ્યો, ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપકો, દીક્ષાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version