Site icon

Bridge Reconstruction Gujarat: સુરતમાં વાહનચાલકો માટે મુસાફરી થશે વધુ સુવિધાજનક, ગુજરાત સરકારે આ જિલ્લાઓમાં રૂ. ૨૫.૫૦ કરોડના પુલોના પુનઃ બાંધકામને આપી મંજૂરી..

Bridge Reconstruction Gujarat: સુરત અને તાપી જિલ્લામાં રૂ. ૨૫.૫૦ કરોડના પુલોનું પુનઃ બાંધકામ કરાશે. ગુજરાત સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી. પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી થશે

News Continuous Bureau | Mumbai

Bridge Reconstruction Gujarat: ગુજરાત સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.  

Join Our WhatsApp Community

          સુરત ( Surat ) જિલ્લામાં રૂ.૧૨ કરોડના ખર્ચે અરેઠ બૌધાન ઘલા રોડ પર જૂના પુલની જગ્યાએ નવો અને મજબૂત પુલ બનાવાશે. રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે માંડવી ખેડપુર વરજાખણ રોડ પર પુલના વિસ્તરણ અને મજબુતીકરણ સાથે નવું બાંધકામ જ્યારે ( tapi ) તાપી જિલ્લામાં  રૂ.૬ કરોડના ખર્ચે ન્યુ બ્રિજ સ્ટ્રકચર ( Bridge Redevelopment ) ઓન માંડવી શેરૂલા રોડ પર જૂના પુલને દૂર કરી નવી ટેક્નોલોજીથી મજબૂત પુલનું ( Bridge Reconstruction ) નિર્માણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mahaparinirvan Diwas: PM મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આપી શ્રદ્ધાંજલિ, સમાનતા માટે તેમની અથાક લડત વિશે વાત કરતા કહી ‘આ’ વાત

           આ પ્રકલ્પોથી પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી થશે, જેની સ્થાનિક વેપાર અને રોજગારી પર પણ સકારાત્મક અસર થશે,ત્યારે આ પ્રકલ્પોને મંજૂરી આપવા બદલ નાગરિકો, સ્થાનિક અગ્રણીઓ- જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ( Gujarat Government ) અને આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version