Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Tribals : ગુજરાતના આદિજાતિ બંધુઓને નિશ્ચિત બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો/વાહનો માટે બેંકમાંથી મળતી લોન સામે વ્યાજ સહાય યોજના.

Gujarat Tribals : બેંકમાંથી લીધેલી લોન સામે વધુમાં વધુ ૯% કે રૂ.૧૭.૫૦ લાખમાંથી જે ઓછું હોય તે વ્યાજ સહાય મળવાપાત્ર

Interest subsidy scheme against loans from banks for fixed construction and equipmentvehicles required in agricultural sector to tribal members of Gujarat

Interest subsidy scheme against loans from banks for fixed construction and equipmentvehicles required in agricultural sector to tribal members of Gujarat

 News Continuous Bureau | Mumbai 

Gujarat Tribals : ગુજરાતમાં વસતાં આદિજાતિ બાંધવોને આર્થિક રીતે પગભર કરવાના હેતુથી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન વિભાગ ( Gujarat Tribal Development Corporation ) દ્વારા નિશ્ચિત બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો/વાહનો માટે બેંકમાંથી મળતી લોન સામે વ્યાજ સહાય યોજના અમલી બનાવી છે. જે હેઠળ રાજ્યમાં વસતાં અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં બાંધકામ તેમજ કૃષિ ક્ષેત્રે ( Agricultural sector ) ઓટોમેટિક હાઈડ્રોલિક ઈંટ બનાવવાનું મશીન, કોકિટ બ્લોક બનાવવાનું મશીન, ડીઝલ એન્જિન, કોકિટટ્રાન્ઝિટ મિક્સર, હેવી યુટી કોકિટકટીંગ મશીન, ડિઝલ જનરેટર, કૃષિ ક્ષેત્રે વપરાતા ડ્રોન, વેલ્ડિંગમશીન, 5 HP કોંક્રિટપાવસ્ટ્રોવેલ, JCB જેવા મોટા કદના મશીનો/વાહનો માટે બેંકમાંથી મેળવેલી લોન સામે વ્યાજ સહાય મળશે.  

Join Our WhatsApp Channel

            બેંક ( Bank Loan ) દ્વારા રૂ.૩૫ લાખની મર્યાદામાં મોટા કદના મશીનો/વાહનો માટે લોન મેળવેલા વ્યક્તિઓને આ સહાય ( Interest Subsidy Scheme )  મળવાપાત્ર થશે. બાંધકામ/કૃષિ ક્ષેત્ર માટેની મશીનરી/વાહનો અરજદાર દ્વારા ખરીદેલી હોય તો તે અંગેના તમામ આધાર પુરાવા રજુ કરવાના રહેશે. તેમજ બેકમાં ભરેલા લોનના હપ્તાનું વાર્ષિક બેંક સ્ટેટમેન્ટ સામે બેંકનું તે મતલબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. જેના આધારે બેંકમાંથી લીધેલી લોન સામે વધુમાં વધુ ૯% કે રૂ.૧૭.૫૦ લાખમાંથી જે ઓછું હોય તે વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

આ સમાચાર પણ વાંચો  :  PM Modi: પ્રધાનમંત્રી જાપાનના સ્પીકર અને તેમના પ્રતિનિધિમંડળને મળ્યા

           ઉપરોક્ત યોજનાનો લાભ લેવા ઇચ્છતા સુરત ( Surat ) જિલ્લાના લાભાર્થીઓ પ્રાયોજના વહીવટદારની કચેરી, માંડવી ખાતે રૂબરૂ મુલાકાત લેવી અને વધુ માહિતી માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની કચેરી,ગાંધીનગર(૦૭૯-૨૩૨૫૩૮૨૭/૯૧)નો સંપર્ક કરવો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version