News Continuous Bureau | Mumbai
Job Fair 2025 : રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક: ઉમેદવારો અને કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું
સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.
આ સમાચાર પણ વાંચો : Stock Markets Falls: ટ્રમ્પના ટેરિફ વોરથી શેરબજારમાં ફરી કડાકો, 9 મહિનાના સૌથી ખરાબ સ્તરે; રોકાણકારો રાતા પાણીએ રોયા..
રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતી મેળામાં ભાગ લેવા માટે https://rb.gy/y34qzz અને કંપનીઓએ ભાગ લેવા માટે https://rb.gy/ce3iue પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ભાગ લેનાર તમામ ઉમેદવારોએ બાયોડેટાની નકલ સાથે ભરતી મેળામાં હાજર રહેવું, ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલી જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦મી માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેઝ- MCCSURAT અને ટેલિગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
