Site icon

Swamitva Yojana: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૫૮ લાખ મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે

Swamitva Yojana: બારડોલી ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડ વિતરણનો સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

Prime Minister Narendra Modi will e-distribute property cards to 58 lakh homeowners in 50,000 villages across the country.

Prime Minister Narendra Modi will e-distribute property cards to 58 lakh homeowners in 50,000 villages across the country.

News Continuous Bureau | Mumbai

Swamitva Yojana: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૨૭મી ડિસેમ્બરે સમગ્ર દેશના ૫૦ હજાર ગામોના ૫૮ લાખથી વધુ મકાનમાલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ- વિતરણ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ આવતીકાલ તા.૨૭/૧૨/૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૩૦ વાગે બારડોલી તાલુકાની ઈસરોલીની તાજપોર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના ૫૪ ગામોના ૬૫૮૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી હસ્તે ઇ-વિતરણના આ કાર્યક્રમમાં ઓલપાડના બે ગામોના ૩૧૫, ચોર્યાસીના પાંચ ગામોના ૫૦૫, બારડોલલીના પાંચ ગામોના ૭૩૯, માંગરોળના ૧૩ ગામોના ૧૪૩૩, માંડવીના ૧૧ ગામોના ૧૫૬૪, માંડવીના ૧૧ ગામોના ૧૫૬૪, મહુવાના આઠ ગામોના ૧૧૭૫, ઉમરપાડાના નવ ગામોના ૮૦૯ તથા પલસાણાના એક ગામના ૪૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Natural Farming :રાજ્યપાલશ્રીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લેતા ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત રમેશભાઈ પટેલ
ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA( Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના જાહેર કરવામાં આવી છે. સ્વામિત્વ(SVAMITVA) યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે છે. આજના ડિજીટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે.
પ્રોપર્ટી કાર્ડ મળવાથી થનારા ફાયદાઓની વિગતો જોઈએ તો, ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકતધારકોને માલિકીહક્ક દર્શાવતો એક કાયદાકીય દસ્તાવેજ મળશે. જેનાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે., મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે. મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version