Site icon

Guillain Barre Syndrome: પ્રતિ એક લાખે એક વ્યક્તિમાં જોવા મળતા ‘ગૂલીયન બારી સિન્ડ્રોમ’ના રોગથી પીડિત આસ્થા ચૌહાણને નવજીવન આપતા સ્મીમેરના તબીબો

Guillain Barre Syndrome: જીબીએસથી પીડિત બાળકીને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ૬૩ દિવસ સારવાર આપીને સ્વસ્થ કરી. ખાનગી હોસ્પિટલમાં ૧૦ થી ૧૨ લાખના ખર્ચે થતી સારવાર સ્મીમેરમાં વિનામૂલ્યે થઈ. ૧૫ હજારની કિંમતના ૩.૫૦ લાખના ઇંજેક્શનો પીડિત કિશોરીને વિનામૂલ્યે અપાયા

SMIMER Hospital doctors give life to Aastha Chauhan, who suffers from Guillain Barre syndrome, a disease found in one in one lakh people.

SMIMER Hospital doctors give life to Aastha Chauhan, who suffers from Guillain Barre syndrome, a disease found in one in one lakh people.

News Continuous Bureau | Mumbai

Guillain Barre Syndrome:   સુરત શહેરના પરવટ ગામ વિસ્તારમાં રહેતા રાઘુભાઈ ચૌહાણની ૧૫ વર્ષીય દીકરી આસ્થાને થયેલી ગુલીયન બારી સિન્ડ્રોમ નામની ગંભીર બિમારીની સફળ સારવાર કરીને સ્મીમેર હોસ્પિટલના ( SMIMER Hospital ) તબીબોએ આસ્થાને નવજીવન આપ્યું છે. એક લાખમાં એકથી બે બાળકોમાં જોવા મળતી ગૂલીયન બારી સિન્ડ્રોમ (જીબીએસ) નામના રોગથી પીડિત આસ્થાને સુરત ( Surat ) મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સતત ૬૩ દિવસ સારવાર કરવામાં આવી હતી. આ દીકરીને ૩૦ દિવસ તો વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પુત્રીને ( Aastha Chauhan ) સ્વસ્થ થયેલી જોઈ માતા-પિતા પાસે સ્મીમેરના તબીબોનો આભાર માનવા શબ્દો ન હતા. 

Join Our WhatsApp Community

               પીડિયાટ્રીક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ( SMIMER Hospital Doctors ) ડો. દેવાંગ ગાંધીએ વિગતો આપતા કહ્યું કે, તા.૧૫મી એપ્રિલે આસ્થા ચૌહાણને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શરૂઆતમાં ચાલવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ તથા લકવાની અસર જોવા મળી હતી. તાત્કાલિક પિડિયાટ્રિક આઈસીયુમાં દાખલ કરી સતત એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જરૂરી ટેસ્ટ કરવામાં આવતા આસ્થાને ગૂલીયન બાર સિન્ડ્રોમ નામની બીમારી હોવાનું નિદાન થતા તબીબોએ શરૂઆતમાં વેન્ટિલેટર પર બાદમાં સરળતાથી શ્વાસ લઈ શકે તે માટે ગળામાં પાઈપ નાંખીને ૩૦ દિવસ સુધી સારવાર આપી હતી. આસ્થા સ્વસ્થ થતા તા.૧૮મી જુનના રોજ  રજા આપવામાં આવી. હાલ નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. આ કાર્યમાં પિડિયાટ્રીક વિભાગના વડા ડો.પૂનમ સિંગ, ડો.અંકુર ચૌધરી, ડો. ફાલ્ગુની ચૌધરી, ડો.મિત્તલ તથા રેસિડેન્ટ ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, ઈ.એન.ટીના તબીબો તથા ફિઝીયોથેરાપીના ડોકટરોના સંયુક્ત પ્રયાસોના પરિણામે દીકરીની સફળ સારવાર થઈ હતી.

આ સમાચાર પણ વાંચો:  PM Narendra Modi: પ્રધાનમંત્રીએ 2023-24માં સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની અત્યાર સુધીની સર્વાધિક વૃદ્ધિની પ્રશંસા કરી

             ડો.દેવાંગે વધુમાં કહ્યું કે, આ ગૂલીયન બારી સિન્ડ્રોમ બિમારીની સારવાર માટે ૧૫ થી ૨૦ હજારની કિંમતના આઈ.વી.આઈ.જી. ઈન્જેકશનો એવા કુલ ૩.૫૦ લાખના ઈન્જેકશનો વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. આ સારવાર જો ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો સમગ્ર સારવારનો ખર્ચ રૂ.૧૦ થી ૧૨ લાખ જેટલો માતબર થયો હોત. જે સારવાર મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે.

Guillain Barre Syndrome:  ગૂલીયન બારી સિન્ડ્રોમ એટલે શું?

                ડો.દેવાગે કહ્યું કે, જીબીએસ બિમારી વાયરસના કારણે થતી ઑટૉઇમ્યૂન ડિસઑર્ડરની બિમારી છે. જેમાં આખા શરીરના સ્નાયુઓ નબળા પડી જાય છે. સ્વચ્છતા નહીં રાખતા કે સતત ઝાડા-ઊલટી થતી હોય તેવા સંજોગોમાં થઈ શકે છે. આ રોગમાં દર્દીને ચાલવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે, જેથી લકવાની અસર પણ થઈ શકે છે. જો, સમયસર સારવાર કરવામાં ન આવે તો દર્દીના જીવ સામે જોખમ ઉભુ થાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version