Surat body donation: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ચોર્યાસી બ્રાન્ચ), લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને લોકદૃષ્ટિ ચક્ષુ બેંકને નેત્રદાન, દેહદાન

Surat body donation સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું

News Continuous Bureau | Mumbai

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કરીને સમાજને પ્રેરણા આપી છે. મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા (ભાડ) ગામના વતની સ્વ.વલ્લભભાઈ મોહનભાઈ ધોરાજીયા (ઉ.વ.૮૮)નું સુરત ખાતે શ્યામધામ મંદિર પાસે, સરથાણાના નિવાસસ્થાને અવસાન થતા પરિવારે સ્વ.દાદાના નેત્રદાન, દેહદાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. સ્વ.વડીલના પુત્ર શંભુભાઈ, પુત્રવધૂ રશ્મિતાબેન, પુત્રી ગીતાબેન બિપિનચંદ્ર પટેલ, પુત્રી ભાવનાબેન રવજીભાઈ માલાણીએ આ નિર્ણય લઈને ડો.બિપીનભાઈ પટેલ, ભાવસુખભાઈ વાઘેલા, બળવંતભાઈ ડોબરીયા, ડો.પ્રફુલભાઈ શિરોયા અને દિનેશભાઈ જોગાણી, ડો.બી.આઈ. શાહને જાણ કરતા ધોરાજીયા પરિવાર તરફથી દાદાના અમૂલ્ય નેત્ર અને દેહનું દાન સ્વીકારી શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી અને ફિઝિયોથેરાપી, ડુમસ રોડ ખાતે અર્પણ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

Surat body donation

ડો.પ્રફુલ શિરોયાએ જણાવ્યું કે, તબીબી શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાના અભ્યાસ તેમજ સંશોધન માટે માનવદેહ ખૂબ જ જરૂરી હોય છે. આ વિદ્યાર્થીઓના અભ્યાસ, આવનારી પેઢીના સુખી ભવિષ્ય માટે, માનવજાતિના કલ્યાણ માટે ચક્ષુદાન તથા દેહદાનનો ધોરાજીયા પરિવારનો નિર્ણય સરાહનીય છે એમ જણાવી નેત્રદાતા, દેહદાતા, અંગદાતા બનવા સૌને અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે

ડો.શિરોયાએ ઉમેર્યું કે, કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટિવંત બનાવવા માટે સૌ સેતુ બની માનવતાના કાર્યમાં સહયોગ આપીશું તો ભારત કોર્નિયલ અંધત્વ મુક્ત બનશે. આ પરિવારના પ્રેરક પહેલને ભારતીમૈયા ટ્રસ્ટ અને સમાજ સેવક મહેન્દ્રભાઈ કતારગામવાલા, ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના જગદીશ બોદરા, કિશોરભાઈ (રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ), રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાન્ચના રાજુભાઈ રાદડિયા, મહેશભાઈ શિરોયા, લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ટ્રસ્ટ્રીઓએ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી દેહદાતા નેત્રદાતા સ્વ.વલ્લભદાદાના આત્માની શાંતિ માટે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ આપી હતી.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version