Site icon

Surat News : સુરત જિલ્લાના પેન્શનરોએ તા.૩૧મી જુલાઇ સુધી પોતાની હયાતીની ખરાઈ કરાવી લેવી

Surat News : વેબસાઈટ પર ઓનલાઈન હયાતીની ખરાઈ પણ થઈ શકશે

What Happens When a National Pension Scheme Subscriber Dies Without Nominating Anyone

National Pension System: જો સબસ્ક્રાઇબર નોમિની પસંદ કર્યા વિના મૃત્યુ પામે છે, તો પેન્શનનો લાભ કોને મળશે? અહીં સમજો નિયમો

News Continuous Bureau | Mumbai

વિદેશમાં રહેતા પેન્શનરોએ નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા, પીપીઓ નં., ખાતા નં. લખીને હયાતીની ખરાઈ કરાવી શકશે

Join Our WhatsApp Community

સુરત:શનિવાર: પેન્શન ચુકવણા કચેરી-સુરત અને તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) રાજય સરકાર તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઇ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં તા.૦૧/૦૫/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં કરાવી લેવાની રહેશે. પેન્શનર www.jeevarpramaan.gov.in વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકશે. જે પેન્શનરોએ આધાર તથા પાનકાર્ડ આપેલ નથી તેવા પેન્શનરોએ આધાર કાર્ડ તથા પાન કાર્ડ હયાતિના ફોર્મ સાથે અચુક સામેલ કરવાના રહેશે. જે પેન્શનરોના હયાતીના ફોર્મ અત્રેની કચેરીને પ્રાપ્ત નહિ થાય તેવા પેન્શનરોનું ઓગષ્ટ-૨૦૨૪ પેઈડ ઈન સપ્ટેમ્બર-૨૦૨૪ થી પેન્શન બંધ કરાશે.
વિદેશમાં રહેતા પેન્શનરોએ નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા, પીપીઓ નં., ખાતા નં. લખીને હયાતીની ખરાઈ કરાવવી. કચેરીની પુર્વ મંજુરી વિના બેંકની શાખા બદલનાર પેન્શનરોની હયાતીની ખરાઇ કરાશે નહિ. પેન્શનરોએ અત્રેની કચેરીમાં પીપીઓમાં કરેલ સહીના નમુના મુજબની સહી હયાતીના ફોર્મ પર કરવી. ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જે પેન્શનરો જુની કે નવી પધ્ધતિ મુજબ આવકવેરો કપાવવા માગે છે તેની વિગત પુરી પાડવી તથા આવકવેરાના હેતુ માટે રોકાણ કરનાર હોય તેવા પેન્શનરોએ રોકાણની માહિતી ફોર્મ-૧૨બીમાં પુરી પાડવી. વર્ષ ૨૦૨૩-૨૪ ના આવકના પ્રમાણપત્ર https:/cybertreasury.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી લેવાના રહેશે એમ શ્રેયાન તિજોરી અધિકારી, પેન્શન ચુકવણા કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version