Site icon

Surat: અગ્નિવીર ભરતી પૂર્વે તાલીમ માટે આદિજાતિ(ST) ઉમેદવારો માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક તાલીમ યોજાશે

Surat: તાલીમમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૧મીએ રોજગાર કચેરીમાં રૂબરૂ આવી નામ નોંધાવે

Surat Raksha Shakti University will conduct free training for Tribal (ST) candidates for Agniveer for pre-recruitment training

Surat Raksha Shakti University will conduct free training for Tribal (ST) candidates for Agniveer for pre-recruitment training

 News Continuous Bureau | Mumbai

Surat:  ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો ( Scheduled Tribe candidates ) માટે ભારતીય સંરક્ષણ દળોમાં ( Indian Defense Forces ) આર્મી/નેવી/એરફોર્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી ( Agniveer recruitment ) પૂર્વે તાલીમનું આયોજન રક્ષાશક્તિ યુનિવર્સિટી ( Raksha Shakti University ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉમેદવારોની રહેવા, જમવા તેમજ પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે અપાશે. આ તાલીમમાં જોડાવા ઈચ્છુક તા.૦૧/૦૮/૨૦૦૪ થી તા.૦૧/૦૪/૨૦૦૭ દરમિયાન જન્મેલા એસ.ટી. ઉમેદવારો કે જેઓ ધો.૧૦ પાસ લઘુતમ ૪૫% અને દરેક વિષયમાં લઘુતમ ૩૩ ગુણ તથા ઊંચાઇ ૧૬૨ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭-૮૨ સે.મી ધરાવતા હોય તેઓ તાલીમમાં જોડાઈ શકશે.

Join Our WhatsApp Community

તાલીમમા ભાગ લેવા માટે તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, સી વિંગ, ૫મો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ નામ નોંધાવવા મદદનીશ નિયામક(રોજગાર), સુરતની યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર પણ વાંચો : PM Modi’s visit to Russia 2024: મોદી-પુતિનની મિત્રતાથી અમેરિકા પરેશાન! ભારત અને રશિયા વચ્ચે આ 9 કરારને મળી મંજુરી.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version