Site icon

Umarpada taluka Election: આ તારીખે યોજાશે ઉમરપાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી, ૩,૮૮૪ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ

Umarpada taluka Election: ઉમરપાડા તાલુકા પંચાયતની ૪-ઘાણાવડ બેઠકની પેટાચૂંટણી તા.૧૬ ફેબ્રુઆરીએ યોજાશે

Umarpada taluka Election: Umarpada taluka panchayat by-election will be held on this date

Umarpada taluka Election: Umarpada taluka panchayat by-election will be held on this date

News Continuous Bureau | Mumbai

Umarpada taluka Election: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ-ગાંધીનગર દ્વારા પેટા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત મતદાર વિભાગની ૪-ઘાણાવડ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી) પેટા ચુંટણીનું તા.૧૬ ફેબ્રુ.એ મતદાન યોજાશે. જયારે ઉમરપાડા મામલતદાર કચેરીએ તા.૧૮મીએ મતગણતરી થશે.
આ પેટા ચૂંટણીમાં કુલ ૩,૮૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, જેમાં ૧,૯૬૨ મહિલા અને ૧,૯૨૧ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે ૨૦ પોલિંગ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણી માટે તૈયારીઓ થઇ પૂર્ણ, વોર્ડ નં. ૧૮ની ચૂંટણી આ તારીખે થશે
ઉમરપાડા તા.પંચાયતની આ ચૂંટણી માટે કુલ ૪ મતદાન મથકો નિર્ધારિત કરાયા છે, જ્યાં ૬ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો) મતદાન માટે ઉપયોગમાં લેવાશે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુનિશ્ચિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૪-ઘાણાવડ બેઠકના ચૂંટણી અધિકારી આર.કે.ચૌધરીના આયોજન અને દેખરેખ હેઠળ સંલગ્ન તંત્રએ જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version