News Continuous Bureau | Mumbai
- ૩,૮૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
Umarpada taluka Election: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ-ગાંધીનગર દ્વારા પેટા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયત મતદાર વિભાગની ૪-ઘાણાવડ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી) પેટા ચુંટણીનું તા.૧૬ ફેબ્રુ.એ મતદાન યોજાશે. જયારે ઉમરપાડા મામલતદાર કચેરીએ તા.૧૮મીએ મતગણતરી થશે.
આ પેટા ચૂંટણીમાં કુલ ૩,૮૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, જેમાં ૧,૯૬૨ મહિલા અને ૧,૯૨૧ પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે ૨૦ પોલિંગ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણી માટે તૈયારીઓ થઇ પૂર્ણ, વોર્ડ નં. ૧૮ની ચૂંટણી આ તારીખે થશે
ઉમરપાડા તા.પંચાયતની આ ચૂંટણી માટે કુલ ૪ મતદાન મથકો નિર્ધારિત કરાયા છે, જ્યાં ૬ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો) મતદાન માટે ઉપયોગમાં લેવાશે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુનિશ્ચિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૪-ઘાણાવડ બેઠકના ચૂંટણી અધિકારી આર.કે.ચૌધરીના આયોજન અને દેખરેખ હેઠળ સંલગ્ન તંત્રએ જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed