News Continuous Bureau | Mumbai
Gujarat Unseasonal rain: હવામાન વિભાગ દ્વારા તા.૧ થી તા.૩ એપ્રિલ દરમિયાન ગુજરાતના અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે જરૂરી પગલાઓ લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકારે કર્યો અનુરોધ
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો અને ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. તેમજ APMCમા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખવી.
આ સમાચાર પણ વાંચો:
Gujarat Unseasonal rain, Meteorological Department,farmers
APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો એમ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
