News Continuous Bureau | Mumbai

Narmad University: નર્મદ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરાઈ

Narmad University: સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૧ હજાર વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

 News Continuous Bureau | Mumbai 

Narmad University:  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિશાળ પ્રાંગણમાં સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૧ હજાર વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ કરી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ( World Environment Day ) ઉજવણી કરાઇ હતી. પર્યાવરણના સંતુલન માટે આવશ્યક વૃક્ષોના મહત્વ અંગે જાગૃતતા લાવવા તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણની વિષમતાઓને દૂર કરવા વધુને વધુ વૃક્ષ રોપી ( Tree Plantation ) તેનું યોગ્ય જતન કરવાના સંદેશ સાથે પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. યુનિ.ના કેમ્પસ અને આસપાસના વિસ્તારને હરિયાળો અને સુંદર બનાવવા, જળવાયુ પરિવર્તનમાં સુધારો કરવા સાથે પ્રદૂષણને ફેલાતું અટકાવવાના મુખ્ય હેતુ સાથે દર વર્ષે યુનિ. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  

Join Our WhatsApp Channel
'World Environment Day' was celebrated at Narmad University

‘World Environment Day’ was celebrated at Narmad University

         

‘World Environment Day’ was celebrated at Narmad University

   ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ યુનિ. કેમ્પસમાં ( Veer Narmad of South Gujarat University ) ૭,૦૦૦ વૃક્ષો વાવી તેને ઉછેરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય અને ભવિષ્યમાં પર્યાવરણનું રક્ષણ કરવા તેઓ અન્યોને પણ પ્રોત્સાહિત કરી પર્યાવરણ જાળવણીમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી શકે.  

‘World Environment Day’ was celebrated at Narmad University

‘World Environment Day’ was celebrated at Narmad University

‘World Environment Day’ was celebrated at Narmad University

આ સમાચાર પણ વાંચો:  World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘નમો વડ વન’ની નિરીક્ષણ મુલાકાતે

              આ કાર્યક્રમમાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, વહીવટી તેમજ શૈક્ષણિક વિભાગના વડાઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Exit mobile version