Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસ કર્મચારીઓ પર અચાનક ગ્રેનેડ હુમલો થયો હતો. જોકે સુરક્ષા દળોએ પણ, તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ આતંકીઓ સ્થળ પરથી ભાગી છૂટયા હતા. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. હાલ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે, અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે ત્રાલ શહેરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફનો એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજી પણ આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે અને તેમાંના મોટાભાગના પાકિસ્તાનનાં બિન સ્થાનિક લોકો છે.

Join Our WhatsApp Channel
Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version