Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
19 ઓક્ટોબર 2020
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના ગંગૂ વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસ કર્મચારીઓ પર અચાનક ગ્રેનેડ હુમલો થયો હતો. જોકે સુરક્ષા દળોએ પણ, તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ આતંકીઓ સ્થળ પરથી ભાગી છૂટયા હતા. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. હાલ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે, અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે ત્રાલ શહેરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફનો એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજી પણ આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે અને તેમાંના મોટાભાગના પાકિસ્તાનનાં બિન સ્થાનિક લોકો છે.

Join Our WhatsApp Channel
CRPF Pellet Gun Probe પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં? CRPF આંતરિક તપાસમાં લાગી, રાહુલ ગાંધીએ બતાવ્યા પુરાવા
Himachal Landslide Accident – હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતિમાં ભીષણ ભૂસ્ખલન: ટેક્સી પર પહાડ ધરાશાયી થતાં 6 મહિનાના માસૂમ સહિત 13 લોકોના મોત
Supreme Court Video Ban ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું કોર્ટની કાર્યવાહીના વીડિયો એડિટ કે વાયરલ કરવા પર રોક
NEET Paper Leak Case સુપ્રીમ કોર્ટની કડક નોંધ પરીક્ષા પ્રણાલીમાં માત્ર કામચલાઉ પગલાં નહીં ચાલે, આખું વર્ષ રાખવામાં આવશે નજર
Exit mobile version