Site icon

શું ભારતમાં ફરી નોટબંધી થશે?? ભાજપના આ સાંસદે 2000 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ કરી, જાણો કારણ…

સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન, સંસદમાં 2000 ની ગુલાબી નોટને પાછી ખેંચી લેવાની માંગ ઉઠી છે.

How to deposit or exchange Rs 2000 currency notes

2000 currency notes: જો હવે કોઈ 2000 રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરવું? જાણો શું કહ્યું RBIએ

News Continuous Bureau | Mumbai

સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન, સંસદમાં 2000 ની ગુલાબી નોટને પાછી ખેંચી લેવાની માંગ ઉઠી છે. જોકે આ માંગ બીજા કોઈએ નહીં પરંતુ કેન્દ્રમાં સત્તાધારી પક્ષના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી છે, જેઓ બિહારના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. સુશીલ મોદીએ રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન કહ્યું કે, 2000 રૂપિયાની નોટ કાળું નાણું બની ગઈ છે. તેમણે કહ્યું કે સરકારે જનતાને ત્રણ વર્ષનો સમય આપીને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવી જોઈએ.

Join Our WhatsApp Community

હકીકતમાં 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી હતી. નોટબંધી બાદ RBI 2000 રૂપિયાની નોટ બજારમાં રોકડ દાખલ કરવા માટે લાવી હતી. પરંતુ હવે 2000 રૂપિયાની નોટ દુર્લભ બની રહી છે. એટીએમમાંથી ભાગ્યે જ રૂ. 2000ની નોટો નીકળે છે, તેથી બજારમાં રૂ. 2000ની નોટનું કાનૂની ટેન્ડર સમાપ્ત થવાની અફવા છે. 2000 રૂપિયાની નોટોનો કાળા નાણાંના રૂપમાં નોટોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. નોટબંધી છતાં 2000 રૂપિયાની નકલી નોટો બજારમાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai Crime : વિરારની માંડવી પોલીસ હદમાં ભયાનક ઘટના, ચાલતી કારમાં…

2018-19 પછી 2,000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી

સવાલ એ થાય છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટ ગઈ ક્યાં? તો ડિસેમ્બર 2021માં જ શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા આદેશ જારી કરવામાં આવ્યા નથી. 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ઘટાડો થવાના કારણો જણાવતા તેમને જણાવવામાં આવ્યું હતું કે 2018-19થી 2,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, જેના કારણે 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.

2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો

RBI એ પણ સ્વીકાર્યું હતું કે દેશમાં 2000 રૂપિયાની નોટોના ચલણમાં ભારે ઘટાડો થયો છે. આરબીઆઈના વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે 2020-21માં કુલ ચલણ પરિભ્રમણમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 17.3 ટકા હતો, જે હવે ઘટીને 13.8 ટકા થઈ ગયો છે. 2019-20માં, રૂ. 2000ની કિંમતની રૂ. 5,47,952 નોટો ચલણમાં હતી અને કુલ નોટોના 22.6 ટકા જેટલી હતી. 2020-21માં તેનું મૂલ્ય ઘટીને રૂ. 4,90,195 કરોડ થયું હતું અને 2021-22માં કુલ ચલણમાં રૂ. 2,000ની નોટોની સંખ્યા વધુ ઘટીને રૂ. 4,28,394 કરોડ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.

Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
US Tariff Threat: US Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની કડક કાર્યવાહી; ભારત પર 75% સુધી ટેરિફ લાગવાનો ખતરો, અર્થતંત્ર પર થશે મોટી અસર.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Exit mobile version