Site icon

શું ભારતમાં ફરી નોટબંધી થશે?? ભાજપના આ સાંસદે 2000 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ કરી, જાણો કારણ…

સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન, સંસદમાં 2000 ની ગુલાબી નોટને પાછી ખેંચી લેવાની માંગ ઉઠી છે.

How to deposit or exchange Rs 2000 currency notes

2000 currency notes: જો હવે કોઈ 2000 રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરવું? જાણો શું કહ્યું RBIએ

News Continuous Bureau | Mumbai

સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન, સંસદમાં 2000 ની ગુલાબી નોટને પાછી ખેંચી લેવાની માંગ ઉઠી છે. જોકે આ માંગ બીજા કોઈએ નહીં પરંતુ કેન્દ્રમાં સત્તાધારી પક્ષના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી છે, જેઓ બિહારના ભૂતપૂર્વ નાણાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. સુશીલ મોદીએ રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન કહ્યું કે, 2000 રૂપિયાની નોટ કાળું નાણું બની ગઈ છે. તેમણે કહ્યું કે સરકારે જનતાને ત્રણ વર્ષનો સમય આપીને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવી જોઈએ.

Join Our WhatsApp Community

હકીકતમાં 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી હતી. નોટબંધી બાદ RBI 2000 રૂપિયાની નોટ બજારમાં રોકડ દાખલ કરવા માટે લાવી હતી. પરંતુ હવે 2000 રૂપિયાની નોટ દુર્લભ બની રહી છે. એટીએમમાંથી ભાગ્યે જ રૂ. 2000ની નોટો નીકળે છે, તેથી બજારમાં રૂ. 2000ની નોટનું કાનૂની ટેન્ડર સમાપ્ત થવાની અફવા છે. 2000 રૂપિયાની નોટોનો કાળા નાણાંના રૂપમાં નોટોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. નોટબંધી છતાં 2000 રૂપિયાની નકલી નોટો બજારમાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai Crime : વિરારની માંડવી પોલીસ હદમાં ભયાનક ઘટના, ચાલતી કારમાં…

2018-19 પછી 2,000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી

સવાલ એ થાય છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટ ગઈ ક્યાં? તો ડિસેમ્બર 2021માં જ શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા આદેશ જારી કરવામાં આવ્યા નથી. 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ઘટાડો થવાના કારણો જણાવતા તેમને જણાવવામાં આવ્યું હતું કે 2018-19થી 2,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, જેના કારણે 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.

2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો

RBI એ પણ સ્વીકાર્યું હતું કે દેશમાં 2000 રૂપિયાની નોટોના ચલણમાં ભારે ઘટાડો થયો છે. આરબીઆઈના વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે 2020-21માં કુલ ચલણ પરિભ્રમણમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 17.3 ટકા હતો, જે હવે ઘટીને 13.8 ટકા થઈ ગયો છે. 2019-20માં, રૂ. 2000ની કિંમતની રૂ. 5,47,952 નોટો ચલણમાં હતી અને કુલ નોટોના 22.6 ટકા જેટલી હતી. 2020-21માં તેનું મૂલ્ય ઘટીને રૂ. 4,90,195 કરોડ થયું હતું અને 2021-22માં કુલ ચલણમાં રૂ. 2,000ની નોટોની સંખ્યા વધુ ઘટીને રૂ. 4,28,394 કરોડ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Donald Trump: ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધો લગાવવા માટે લાવી રહી છે કાયદો, ભારતની મુશ્કેલીઓ વધશે
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Exit mobile version