Site icon

મણિપુર હિંસા : ગૌહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં આટલા સભ્યોના તપાસ પંચની રચના

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે 03.05.2023ના રોજ અને ત્યાર બાદ મણિપુર રાજ્યમાં હિંસાની ઘટનાઓની તપાસ માટે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની સૂચના આપી ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબા આ પંચની અધ્યક્ષતા કરશે, શ્રી હિમાંશુ શેખર દાસ, આઈએએસ (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, આઈપીએસ (નિવૃત્ત) સભ્યો હશે

3-member Commission of Inquiry to probe Manipur violence

મણિપુર હિંસા : ગૌહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં આટલા સભ્યોના તપાસ પંચની રચના

 News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ ગુહાહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબાની અધ્યક્ષતામાં શ્રી હિમાંશુ શેખર દાસ, IAS (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, IPS (નિવૃત્ત) સભ્યો તરીકે મણિપુર રાજ્યમાં 03.05.2023 અને ત્યાર પછીની હિંસાની ઘટનાઓની તપાસ કરવા સાથે તપાસ પંચની સૂચના આપી છે..

Join Our WhatsApp Community

કમિશન મણિપુરમાં થયેલી હિંસાનાં કારણો અને ફેલાવાના સંદર્ભમાં તપાસ કરશે અને તેમાં કોઈ જવાબદાર અધિકારીઓ અથવા વ્યક્તિઓ તરફથી કોઈ ક્ષતિ હતી કે કેમ એ ચકાસણી કરશે.

આ સમાચાર પણ વાંચો:  આંધળો પ્રેમ! ક્રશને ખુશ કરવા છોકરીએ તમામ હદો વટાવી, 25 કિલો વજન ઘટાડ્યું અને હવે…

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે 29મી મે 2023 થી 1લી જૂન 2023 દરમિયાન મણિપુર રાજ્યની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તપાસ પંચની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.

કમિશન તેનો અહેવાલ કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે સુપરત કરશે પરંતુ તેની પ્રથમ બેઠકની તારીખથી છ મહિના પછી નહીં. કમિશનનું મુખ્યાલય ઇમ્ફાલમાં હશે.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version