Site icon News Continuous Bureau | Mumbai

મણિપુર હિંસા : ગૌહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં આટલા સભ્યોના તપાસ પંચની રચના

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે 03.05.2023ના રોજ અને ત્યાર બાદ મણિપુર રાજ્યમાં હિંસાની ઘટનાઓની તપાસ માટે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની સૂચના આપી ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબા આ પંચની અધ્યક્ષતા કરશે, શ્રી હિમાંશુ શેખર દાસ, આઈએએસ (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, આઈપીએસ (નિવૃત્ત) સભ્યો હશે

3-member Commission of Inquiry to probe Manipur violence

મણિપુર હિંસા : ગૌહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં આટલા સભ્યોના તપાસ પંચની રચના

 News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે કમિશન્સ ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ ગુહાહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબાની અધ્યક્ષતામાં શ્રી હિમાંશુ શેખર દાસ, IAS (નિવૃત્ત) અને શ્રી આલોકા પ્રભાકર, IPS (નિવૃત્ત) સભ્યો તરીકે મણિપુર રાજ્યમાં 03.05.2023 અને ત્યાર પછીની હિંસાની ઘટનાઓની તપાસ કરવા સાથે તપાસ પંચની સૂચના આપી છે..

Join Our WhatsApp Channel

કમિશન મણિપુરમાં થયેલી હિંસાનાં કારણો અને ફેલાવાના સંદર્ભમાં તપાસ કરશે અને તેમાં કોઈ જવાબદાર અધિકારીઓ અથવા વ્યક્તિઓ તરફથી કોઈ ક્ષતિ હતી કે કેમ એ ચકાસણી કરશે.

આ સમાચાર પણ વાંચો:  આંધળો પ્રેમ! ક્રશને ખુશ કરવા છોકરીએ તમામ હદો વટાવી, 25 કિલો વજન ઘટાડ્યું અને હવે…

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે 29મી મે 2023 થી 1લી જૂન 2023 દરમિયાન મણિપુર રાજ્યની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તપાસ પંચની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.

કમિશન તેનો અહેવાલ કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે સુપરત કરશે પરંતુ તેની પ્રથમ બેઠકની તારીખથી છ મહિના પછી નહીં. કમિશનનું મુખ્યાલય ઇમ્ફાલમાં હશે.

Badrinath donation row બદરીનાથ ધામમાં ચઢાવા અને ચોરીના મામલે મોટી કાર્યવાહી કમિટીના ચેરમેન સસ્પેન્ડ
Salt transport train ૧૫૦ વર્ષ જૂનો ઇતિહાસ આ અનોખી ટ્રેન આજે પણ માત્ર ‘મીઠું’ જ વહન કરે છે, આધુનિક યુગમાં પણ અડીખમ!
AI impact on tech sector ટેક સેક્ટરમાં ‘સાયલન્ટ લેઓફ્સ’નો નવો ટ્રેન્ડ? જાહેરમાં છટણી કર્યા વિના ભારતીય આઈટી કંપનીઓ ઘટાડી રહી છે સ્ટાફ
Regulation on alcoholbased medicines સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, હવે આ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે..
Exit mobile version