Site icon News Continuous Bureau | Mumbai

Anantnag Encounter: અનંતનાગમાં ત્રીજા દિવસે પણ આતંકવાદીઓ સામે એન્કાઉન્ટર ચાલુ, વધુ એક જવાન શહીદ… જાણો હાલ આ વિસ્તારમાં શું છે સ્થિતિ.. 

Anantnag Encounter: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સેનાના જવાનોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે.

4 martyred in Anantnag, body of missing soldier found, army operation continues in the area

4 martyred in Anantnag, body of missing soldier found, army operation continues in the area

News Continuous Bureau | Mumbai 

Anantnag Encounter: જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) ના અનંતનાગ (Anantnag) માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર દરમિયાન વધુ એક જવાન શહીદ થયો છે. એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાનનો મૃતદેહ ગુમ થઈ ગયો હતો. આ રીતે બુધવારથી શરૂ થયેલા અનંતનાગ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં સેનાના પાંચ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

અનંતનાગમાં શુક્રવારે પણ સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં ઉઝૈર ખાન નામનો સ્થાનિક આતંકવાદી સામેલ છે. આ સિવાય એન્કાઉન્ટરમાં એક વિદેશી આતંકીની સંડોવણીની પણ પુષ્ટિ થઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી છે, જ્યારે બીજા આતંકીની શોધ ચાલી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : MHADA House: જૂનું ઘર ખરીદવા માંગો છો? તો આ તારીખથી અરજી ચાલું, જાણો કઈ રીતે, શું છે સંપુર્ણ પ્રક્રિયા..

એન્કાઉન્ટરમાં શહીદ જવાનોની સંખ્યા ચાર પર પહોંચી ગઈ છે

અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર મેજર આશિષ ધૌનચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ શહીદ થયા હતા. હવે વધુ એક શહીદ જવાનનો મૃતદેહ મળી આવતાં આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. આજે જીવ ગુમાવનાર ચોથા સૈનિકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વાસ્તવમાં બુધવારે ગુપ્તચર માહિતીના આધારે સેના આતંકીઓને એક ઠેકાણા પર શોધી રહી હતી. આ દરમિયાન છુપાઈને બેઠેલા આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓની ગોળી કર્નલ મનપ્રીત સિંહને વાગી, જેના કારણે તેઓ ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં બે અધિકારીઓ પણ ઘાયલ થયા હતા, જેઓ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો કરનારા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો ભાગ છે.

Manipur Violence।મણિપુર ફરી સળગ્યું! ઉખરુલમાં નાગાકુકી જૂથો વચ્ચે અથડામણમાં ૩ ના મોત, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
Bengal Election Battle। ‘નેરેટિવ’માં ભાજપ આગળ, તો બૂથ મેનેજમેન્ટમાં ટીએમસીનો દબદબો; બીજા તબક્કાની ૧૪૨ બેઠકો માટે જંગ જામ્યો
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
ED Raids। ચૂંટણી પૂર્વે ઈડીનું મોટું એક્શન પશ્ચિમ બંગાળના ૯ સ્થળોએ દરોડા, રાશન કૌભાંડમાં તપાસ તેજ
Exit mobile version