Site icon News Continuous Bureau | Mumbai

Assam Earthquake: આસામમાં ભૂકંપનો જોરદાર આંચકો: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના ઝટકાથી લોકોમાં ફફડાટ, વહેલી સવારે ધરા ધ્રૂજી

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ સવારે 4:17 કલાકે નોંધાયો ભૂકંપ; 50 કિમીની ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ.

Assam Earthquake આસામમાં ભૂકંપનો જોરદાર

Assam Earthquake આસામમાં ભૂકંપનો જોરદાર

News Continuous Bureau | Mumbai

Assam Earthquake ઉત્તર-પૂર્વ ભારતના આસામ રાજ્યમાં સોમવારની વહેલી સવારે કુદરતી આફતે દસ્તક આપી છે. મોરીગાંવ જિલ્લામાં સવારે અંદાજે 4:17 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી ના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

Join Our WhatsApp Community

 

ભૂકંપનું કેન્દ્રબિંદુ અને તકનીકી વિગતો

સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામનું મોરીગાંવ હતું. તેની ભૌગોલિક સ્થિતિ 26.37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 92.29 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધવામાં આવી છે. જમીનની સપાટીથી આ ભૂકંપની ઊંડાઈ આશરે 50 કિલોમીટર હતી. ઊંડાઈ વધુ હોવાને કારણે આંચકાની અસર મોટા વિસ્તારમાં અનુભવાઈ હતી, પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

સ્થાનિક લોકોમાં ફફડાટ અને પ્રસાશનની સજ્જતા

વહેલી સવારે આવેલા આંચકા બાદ મોરીગાંવ અને આસપાસના વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રશાસન હાલ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધ રહેવાની અપીલ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Municipal Election: મહારાષ્ટ્રના જંગ માટે ઉદ્ધવ સેનાના 40 ‘મહારથીઓ’ મેદાનમાં! સ્ટાર પ્રચારકોની યાદી જાહેર; ‘આદેશ ભાવજી’ સંભાળશે મોરચો

ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપનું જોખમ

આસામ સહિત આખું ઉત્તર-પૂર્વ ભારત હાઈ સીસ્મિક ઝોનમાં આવે છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. નિષ્ણાતોના મતે ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે આ વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. જોકે, 5.1ની તીવ્રતા મધ્યમ ગણાય છે, છતાં જૂના મકાનો અને નબળા બાંધકામોમાં તિરાડો પડવાની શક્યતા રહેલી છે. હાલમાં જાનહાનિની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

 

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version