Site icon

50 મો જન્મદિવસ: વેરવિખેર પક્ષ, મર્યાદિત જનસમર્થન, રાહુલ ગાંધી સામે હજારો પડકારો છે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

19 જુન 2020

 આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જિંદગીના 50 વર્ષ પૂર્ણ કરી વનપ્રવેશ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ એવા સમયે આવી રહ્યો છે જ્યારે તેમનો પક્ષ ઇતિહાસના સૌથી ખરાબ કાળમાંથી પસાર થઇ રહ્યો છે. જનાધાર ઘટી રહ્યો છે અને કાર્યકર્તાઓ નેતા પક્ષ છોડી જઈ રહ્યા છે. આવા સમયે 50 વર્ષીય રાહુલ ગાંધી ના ખભા પર પૂર્વજોની વિરાસતને આગળ વધારવા ની જવાબદારી છે.

 1970 માં જન્મેલા રાહુલ ગાંધીએ હાલમાં ફાટી નીકળેલા કોરોના નામના રોગચાળો અને ચીન સરહદે શહીદ થયેલા જવાનોની યાદમાં પોતાનો જન્મદિવસ ના ઉજવવાનું નક્કી કર્યું છે. પરંતુ તેઓ ગરીબોમાં ભોજન અને અન્ન વિતરણ કરવાનું કામ આજે કરશે.

 વનપ્રવેશ કરનાર રાહુલ ગાંધી સામે સૌથી મોટો પડકાર પોતાની છબી બદલવાનો છે. કારણકે આજે રાહુલ ગાંધીની ગણના અપરિપક્વ નેતા તરીકે થાય છે. તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે પૂરતું હોમવર્ક કર્યા વગર બોલતા હોવાથી વિપક્ષના નિશાના પર આવી જાય છે. નિષ્ણાંતોના મતે પોતાની અપરિપક્વ છબી માટે રાહુલ ગાંધી સ્વયમ જિમ્મેદાર છે. પાછલા 17 વર્ષોથી તેઓ રાજકારણમાં હોવા છતાં હજી સુધી કોઈ ભૂમિકા સરખી રીતે નિભાવી શક્યા નથી. આજે તેમનો પક્ષ વેરવિખેર છે, એમની જ પાર્ટીના સિનિયર નેતાઓ તેમની સાથે અસહમત થતાં જોઇ શકાય છે. જ્યારે સૌથી મોટો પડકાર રાહુલ ગાંધી સામે નરેન્દ્ર મોદી જેવા વિશ્વ વિખ્યાત નેતા હોવાથી પોતાને રાજનીતિમાં સ્થાપિત કરવું અને સફળ થવું મહેનત માંગી લે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version