Site icon News Continuous Bureau | Mumbai

50 મો જન્મદિવસ: વેરવિખેર પક્ષ, મર્યાદિત જનસમર્થન, રાહુલ ગાંધી સામે હજારો પડકારો છે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

19 જુન 2020

 આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જિંદગીના 50 વર્ષ પૂર્ણ કરી વનપ્રવેશ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ એવા સમયે આવી રહ્યો છે જ્યારે તેમનો પક્ષ ઇતિહાસના સૌથી ખરાબ કાળમાંથી પસાર થઇ રહ્યો છે. જનાધાર ઘટી રહ્યો છે અને કાર્યકર્તાઓ નેતા પક્ષ છોડી જઈ રહ્યા છે. આવા સમયે 50 વર્ષીય રાહુલ ગાંધી ના ખભા પર પૂર્વજોની વિરાસતને આગળ વધારવા ની જવાબદારી છે.

 1970 માં જન્મેલા રાહુલ ગાંધીએ હાલમાં ફાટી નીકળેલા કોરોના નામના રોગચાળો અને ચીન સરહદે શહીદ થયેલા જવાનોની યાદમાં પોતાનો જન્મદિવસ ના ઉજવવાનું નક્કી કર્યું છે. પરંતુ તેઓ ગરીબોમાં ભોજન અને અન્ન વિતરણ કરવાનું કામ આજે કરશે.

 વનપ્રવેશ કરનાર રાહુલ ગાંધી સામે સૌથી મોટો પડકાર પોતાની છબી બદલવાનો છે. કારણકે આજે રાહુલ ગાંધીની ગણના અપરિપક્વ નેતા તરીકે થાય છે. તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે પૂરતું હોમવર્ક કર્યા વગર બોલતા હોવાથી વિપક્ષના નિશાના પર આવી જાય છે. નિષ્ણાંતોના મતે પોતાની અપરિપક્વ છબી માટે રાહુલ ગાંધી સ્વયમ જિમ્મેદાર છે. પાછલા 17 વર્ષોથી તેઓ રાજકારણમાં હોવા છતાં હજી સુધી કોઈ ભૂમિકા સરખી રીતે નિભાવી શક્યા નથી. આજે તેમનો પક્ષ વેરવિખેર છે, એમની જ પાર્ટીના સિનિયર નેતાઓ તેમની સાથે અસહમત થતાં જોઇ શકાય છે. જ્યારે સૌથી મોટો પડકાર રાહુલ ગાંધી સામે નરેન્દ્ર મોદી જેવા વિશ્વ વિખ્યાત નેતા હોવાથી પોતાને રાજનીતિમાં સ્થાપિત કરવું અને સફળ થવું મહેનત માંગી લે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
Exit mobile version