Site icon News Continuous Bureau | Mumbai

શું મોદી સરકારે સાડા છ કરોડ કોરોના વેક્સીન ના ડોઝ વિદેશ મોકલ્યા? આ રહ્યો એક્સપોર્ટ થયેલી વેક્સિન નો હિસાબ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

ભારત સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેણે સાડા છ કરોડ ડોઝ વિદેશ મોકલી આપ્યા છે. હવે સૌ પ્રથમ વખત આ મામલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મોઢું ખોલ્યું છે.
ભારતે અત્યાર સુધી એક કરોડ સાત લાખ ડોઝ વિદેશ મોકલાવ્યા છે. જેનો હિસાબ આ મુજબ છે

Join Our WhatsApp Community

૧. ભારતે ૮૦ લાખ જેટલા ડોઝ એ દેશને મોકલાવ્યા છે જે દેશ પાસેથી વેક્સિન માટે કાચો માલ આવે છે. ભારત અને તે દેશ વચ્ચે આ મુજબ કરાર થયા છે.

૨. ભારતે સાત પાડોશી દેશોને ૮૦ લાખ ડોઝ આપ્યા છે.

૩. ભારતે બે લાખ રસી અમેરિકા મોકલાવી છે. જે શાંતિ સૈનિકો માટે છે. ઉલ્લેખનીય છે કે આ સૈનિકો માં ભારતના જવાનો પણ શામેલ છે.

આ ઉપરાંત ભારતે ૩૦ ટકા વેક્સિન નક્કી કરેલા ભાવ મુજબ દુનિયાના સંખ્યાબંધ દેશોને આપવાની છે કારણ કે તેઓ સાથે કરાર થયા છે. આશરે ૧૪ ટકા વેક્સિન બ્રિટન જશે કારણ કે કોવીશિલ્ડ નું બ્રિટનની કંપની સાથે જોડાણ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાને 12% વેક્સિન મોકલવામાં આવી છે કારણ કે તેનું બુકિંગ ત્યાં રહેતા ભારતીયોએ કરાવ્યું હતું.
આમ ભારતમાંથી અનેક વેક્સિન વિદેશમાં પહોંચી છે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version