Site icon News Continuous Bureau | Mumbai

પીએમ નરેન્દ્ર મોદીના 60 ટકા ટ્વિટર ફોલોઅર્સ નકલી છે, રાહુલ ગાંધી પણ બાકાત નથી: ટ્વિપ્લોમસી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

25 મે 2020 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ખૂબ મોટી સંખ્યામાં એમના પ્રશંસકો ફોલો કરે છે. પરંતુ, ટ્વિપ્લોમસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાહેર થયું છે કે, ભાજપના લોકપ્રિય નેતા મોદીને ફોલો કરનારા અનુયાયીઓમાંથી 60 ટકા લોકો નકલી છે. 

'ટ્વિપ્લોમસી', એક ડિજિટલ પ્લેટફોર્મ કે જે આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સરકારોને તેમની ડિજિટલ વ્યૂહરચનામાં ફેરફાર કરવામાં મદદ કરે છે, તેને જ દાવો કર્યો છે કે મોદીના 40,993,053 ફોલોઅર્સમાંથી 24,799,527 ખોટા છે જ્યારે 16,191,426 એ અધિકૃત છે. મોદીના ફોલોઅર્સ ના ગુણોત્તર, અંતિમ ટ્વીટની તારીખ અને ટ્વીટ્સની સંખ્યા જેવા પરિબળોને ધ્યાનમાં લઈને, પરીણામ નક્કી કરવામાં આવ્યા હતા. માત્ર મોદી જ નહીં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, કિંગ સલમાન જેવા ટોચના નેતાઓના પણ ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યામાં ઘણી છે.

  ટ્વિપ્લોમસીએ ઘટસ્ફોટ કર્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 3,696,460 નકલી ફોલોઅર્સ અને 1,715,634 જ વિશ્વસનીય છે.

આમ ડિજિટલ ડેટાના એક અભ્યાસ દ્વારા સ્પષ્ટતા થયી છે કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી , મોટા ભાગના લોકપ્રિય નેતાના ઘણા ફોલોઅર્સ નકલી છે.એ સાબિત થઈ છે..

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version