Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં 8 આતંકવાદીઓ ઢેર, એક સૈનિક પણ માર્યો ગયો

પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા. જયારે એક જવાન પણ શહીદ થઈ ગયો. આ એન્કાઉન્ટર અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયું હતું

8 terrorists, 1 soldier killed in Khyber

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં 8 આતંકવાદીઓ ઢેર, એક સૈનિક પણ માર્યો ગયો

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા. જયારે એક જવાન પણ શહીદ થઈ ગયો. આ એન્કાઉન્ટર અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયું હતું. જ્યાં આતંકવાદીઓના ઠેકાણા પર રાતભર ચાલેલા ઓપરેશનમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક પણ શહીદ થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના શિનવરસાક વિસ્તારમાં બાતમી પ્રમાણે એક ગુપ્તચર-આધારિત ઓપરેશન (IBO) શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  કોરોનાને લઈને મોદી સરકાર એલર્ટ, મનસુખ માંડવિયા આવતીકાલે આ લોકો સાથે કરશે બેઠક..

નિવેદન અનુસાર, “સૈનિકોએ અસરકારક રીતે આતંકવાદીઓનો સામનો કર્યો. આ ઓપરેશનમાં ખતરનાક આતંકવાદી કમાન્ડર જાન મુહમ્મદ ઉર્ફે ચરાગ સહિત આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.” આ નિવેદનમાં જણાવાયું છે કે ઘટના સ્થળેથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ સુરક્ષા દળો વિરુદ્ધ આતંકવાદી કૃત્યો અને નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના સુરક્ષા દળો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ ક્યા સંગઠનના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version